શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 21 જૂન 2016 (12:14 IST)

ॐ માં છુપાયેલું છે સુખ સમૃદ્ધિનું રહસ્ય, નિયમિત ઉચ્ચારણથી સ્વાસ્થયને મળે છે અગણિત લાભ

ॐ માં છુપાયેલું છે સુખ સમૃદ્ધિના રાજ , નિયમિત ઉચ્ચારનથી સ્વાસ્થયને મળે છે અગણાતા લાભ 
ॐ : ઓઉમ ત્રણ અક્ષરોથી બનેલું છે "અ  ઉ  મ" 
"અ" નો  અર્થ છે ઉતપન્ન થવું 
"ઉ"નું તાત્પર્ય છે ઉઠવું , ઉડવું એટલે વિકાસ 
"મ"નો અર્થ છે મૌન થઈ જવું એટલે "બ્રહ્મલીન " થઈ જવું 
ॐ સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પતિ અને આખી સૃષ્ટિનું દ્યોતક છે. 
ॐ નું ઉચ્ચારણ શારીરિક લાભ આપે છે. 
 
* ઉચ્ચારણની વિધિ- સવારે ઉઠીને પવિત્ર થઈને ઓંકાર ધ્વનિનું ઉચ્ચારણ કરો. ॐ નું ઉચ્ચારણ પદ્માસન , અર્ધપ્દ્માસન , સુખાસન , વજ્રાસનમાં બેસીને કરી શકો છો. એનું ઉચ્ચારણ 5, 7, 10, 21 વાર સમય મુજબ કરી શકો છો. ॐ જોરથી બોલી શકો છો, ધીમે પણ બોલી શકો છો,  ॐ ની જપમાળા પણ કરી શકો છો. 

1. ॐ અને થાયરાઈડ 
ॐ નું  ઉચ્ચારણ કરવાથી ગળામાં કંપન થાય જે થાયરાઈડ ગ્રંથિ પર સકારાત્મક અસર કરે છે. 
2. ॐ અને તનાવ 
આ શરીરના ઝેરીલા તત્વોને દૂર કરે છે, એટલે કે તનાવના કારણે પૈદા થતા દ્રવ્યો પર નિયંત્રણ કરે છે. 
3. ॐ અને ગભરામણ 
જો તમને ગભરામણ અને અધીરતા હોય તો ॐ ના ઉચ્ચારણથી સારું બીજુ કશુ નથી. 

4. ॐ અને લોહીનો પ્રવાહ 
આ હૃદય અને લોહીના પ્રવાહને સંતુલિત રાખે છે '
5. ॐ અને પાચન 
ॐ ના ઉચ્ચારણથી પાચન શક્તિ તેજ થાય છે. 

6. ॐ લાવે સ્ફૂર્તિ 
આનાથી શરીરમાં ફરીથી યુવાવસ્થા વાળી સ્ફૂર્તિનો સંચાર થાય છે. 
7. ॐ  અને થાક 
થાકથી બચવા માટે આનાથી ઉત્તમ ઉપાય કોઈ નથી. 

8.  ॐ અને ઉંઘ 
ઉંઘ ન આવવાની સમસ્યા આનાથી થોડા જ સમયમાં દૂર થઈ જાય છે. રાત્રે સૂતા સમયે ઉંઘ આવતા સુધી મનમાં ૐ નું સ્મરણ કરવાથી ચોક્કસ જ ઉંઘ આવશે. 
9. ॐ અને ફેંફસા 
કોઈ ખાસ પ્રાણાયામ સાથે આ કરવાથી ફેફસામાં મજબૂતી આવે છે. 

10- ॐ અને કરોડરજ્જ્જુ 
ॐ  નો પ્રથમ શબ્દ ઉચ્ચાર કરવાથી કંપન થાય છે . આ કંપનથી કરોડરજ્જ્જુ પ્રભાવિત થાય છે. અને એમની ક્ષમતા વધી જાય છે. 
11. ॐ દૂર કરે તનાવ
ॐ નું  ઉચ્ચારણ કરવાથી આખું શરીર તનાવ રહિત થઈ જાય છે.