ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 2 મે 2017 (15:34 IST)

આ ઉપાયથી દૂર થઈ જશે મંગલ દોષ

રામ ભક્ત હનુમાનને સંકટ મોચનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમની પૂજા માટે મંગળવારનો દિવસ રાખવામાં આવ્યો છે. કારણ કે તેમનો જન્મ મંગળવારના દિવસે થયો હતો. 
 
આ દિવસ ધાર્મિક હિસાબથી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. બધા બગડેલા કામને ઠીક કરવા માટે આ દિવસ સૌથી યોગ્ય છે. રામ ભક્ત હનુમાનની શરણમાં જે આવે છે તેના જીવનની નૈયા પાર થઈ જાય છે. આવો જાણીએ મંગળવાર વિશેષમાં હનુમાનજીના કેટલાક શક્તિશાળી મંત્ર વિશે... 
 
આ 5 મંત્રો વિશે જેનો જાપ કરવાથી તમારા બધા અમંગલ કાર્ય મંગલ થઈ જશે 
 
મંગળવારના દિવસે સવાર સવારે ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને હનુમાનજીની પૂજા કરો. ત્યારબાદ હનુમાનના આ 5 અસરદાર મંત્રોનો જાપ કરો. 
 
1.ॐ रूवीर्य समुद्भवाय नम: 
2. ॐ शान्ताय नम: 
3. ॐ तेजसे नम: 
4. ॐ प्रसन्नात्मने नम:
5. ॐ शूराय नम:
 
ચંદનમાં લગાવેલ લાલ ફૂલ અને અક્ષત (ચોખા) લઈને હનુમાનજીના ચરણોમાં અર્પિત કરો. તમારા સુખી જીવનની કામના કરો.