બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 14 ડિસેમ્બર 2016 (16:40 IST)

રાત્રે સૂતી વખતે માથા પાસે ક્યારેય ન મુકવો આ સામાન

શયનકક્ષનો જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રોમાં એક ખાસ સ્થાન  મળેલ  છે. કાલ પુરૂષ મુજબ બેડરૂમને કુંડળીના બારમા ભાવથી જોવાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બારમા ભાવને નુકશાન, શૈય્યા સુખ, અનૈતિક સંબંધ અને રોગ સાથે  જોડીને જોવાયું છે. 
રાત્રે સૂતી વખતે માથાની પાસે કેટલીક વસ્તુઓ મૂકવાથી આરોગ્ય, ધન અને સાંસારિક સુખ પર નકારાત્મક પ્રભાવ પડે છે. આવો જાણીએ કયાં કારણથી બેડરૂમમાં સૂતા સમયે આ વસ્તુઓ ન  મૂકવી જોઈએ. 
 
* પાણીને માથા પર મૂકીને ન સૂવૂ જોઈએ એનાથી ચંદ્રમા પીડીત થાય છે અને માણસને મનોરોગ જેવી સમસ્યાઓ ઉભી થાય છે. 
 
* માથા પાસે પર્સ મૂકીને ન ઉંઘવું જોઈએ એનાથી બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધે છે. 
 

* સોના-ચાંદીના ઘરેણા માથા પાસે મૂકીને ન ઉંઘવું. એનાથી ભાગ્ય નબળું થાય છે. 
 
* લોખંડ સિવાય કોઈ બીજી ધાતુની ચાવી રાખવાથી ચોરીની શકયતા વધી જાય છે. 
* જૂતા-ચપ્પલ મૂકવાથી ખરાબ સ્વપન આવે છે.   
 
* નેલ કટર , બ્લેડ , કાતર વગેરે માથા પાસે મૂકીને ન સૂવૂં. એનાથી પુરૂષાર્થમાં કમી આવે છે અને પૌરૂષ શક્તિનો નાશ થાય છે.