તંત્ર-મંત્ર : અપશુકનથી બચાવશે આ પ્રભાવશાળી મંત્ર અને ઉપાયો
ટોટકા
જીવનમાં અપશુકનનો પ્રભાવ અહિતકારી જ હોય છે જ્યારે ક્યારેક દિવસે કે રાત્રે સ્વપ્નમાં ભૂત, પ્રેત કે ડરાવનારા, ખરાબ કે અશુભ દ્રશ્ય દેખાય તો નિમ્ન લિખિત મંત્રનો 108વાર કે ઓછામાં ઓછો 21 વાર જાપ કરવામાં આવે તો અમંગળકારી પ્રભાવ નિષ્ક્રિય થઈ જશે. મંત્ર આ મુજબ છે उपसर्गाः शमं यांति ग्रह पीड़ाश्च दारुणाः।दुःस्वप्नं च नृभिर्दृष्टं सुस्वप्न मुप जायते॥ह दुर्गे देवि नमस्तुभ्यं सर्व कामार्थ साधिके।मम सिद्धिम् सिद्धिं वा स्वप्ने सर्व प्रदर्शय॥આ એક સરળ અને પ્રભાવશાળી ટોટકો છે. જેની કોઈ પ્રતિકૂળ અસર થતી નથી. આ ઉપરાંત કેટલાક રાશિ પ્રમાણે ઉપાયો કરશો તો પણ તમે તમને થયેલા અપશુકનથી મુક્ત થઈ શકશો. આગળ જુઓ રાશિ મુજબ અપશુકનથી બચવાના ઉપાયો
મેષઃ- આ રાશિના લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે તેથી તેમણે હનુમાન ચાલીસાનો પાઠ કરીને ગરીબોને લાલ કપડાં નું દાન કરવુ જોઈએ. વૃષભઃ- આ રાશિના લોકોએ લક્ષ્મી મંદિરમાં ખીરનો ભોગ લગાવીને પૂજા કરનાર બ્રાહ્મણને ભોજન કરાવવુ. મિથુનઃ- આ રાશિના લોકોએ ગણેશજીને દૂર્વા ચઢાવવો અને મગ તેમજ લીલા વસ્ત્રોનું દાન કરવુ. કર્કઃ- આ રાશિના લોકોએ શિવલિંગને કાચૂ દૂધ ચઢાવવુ અને મંદિરમાં શંખનુ દાન કરવુ. સિંહઃ- આ રાશિના લોકોએ રવિવારે 10 વર્ષથી નાની ઉંમરની 7 કન્યાઓને ભોજન કરાવવુ. કન્યાઃ- આ રાશિના લોકોએ ગણેશ મંદિરના બ્રાહ્મણને ભોજન કરાવી લીલા વસ્ત્રનું દાન કરવુ. તુલાઃ- આ રાશિના લોકોએ શંકર-પાર્વતીજીની પૂજા કરી શિવજીને ભાંગવાળુ દૂધ ચઢાવવું. વૃશ્ચિકઃ- આ રાશિના લોકોએ લાલ ગાયની સેવા કરીને 10 વર્ષથી નાની ઉંમરની કન્યાઓને ભોજન કરાવવું. ધનઃ- આ રાશિના લોકોએ દુ:સ્વપનમાંથી મુક્તિ માટે વિષ્ણુ ભગવાનને તુલસી પત્રની સાથે પીળા ફૂલ અને તુલસીની માળા ચઢાવવી મકરઃ- આ રાશિના લોકોએ કોઈ અપંગ વ્યક્તિને કામમાં આવે કે તેની મદદ થાય તેવી વસ્તુનું દાન કરવુ. કુંભઃ- આ રાશિના લોકોકે શનિવારે ભૈરવ મંદિરમાં તેલનો દીવો કરવો અને કોઈ ગરીબને તવો, તવી, તાવડીનું એવી લોખંડની વસ્તુનું દાન કરવુ. મીનઃ-આ રાશિના લોકોએ ચણાની દાળ અને પીળા ચંદનથી કેળાના ઝાડની પૂજા કરવી