શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Updated : બુધવાર, 6 જુલાઈ 2016 (11:43 IST)

અમદાવાદ જગન્નાથની રથયાત્રા જુઓ તસ્વીરોમાં...

ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે ભગવાન નગરચર્યાએ નીકળી ગયા છે. આજે વહેલી સવારે 4 વાગે મંદિરમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહ્યાં હતા.અને ભગવાનની આરતી ઉતારી હતી. મંગળા આરતી બાદ અમિત શાહે નીજ મંદિરમાં ઉપસ્થિત સેંકડો ભક્તોનું અભિવાદન કર્યું હતું. તેમની સાથે અમદાવાદના મેયર ગૌતમ શાહ પણ મંગળા આરતીમાં હાજર રહ્યા હતા.

જમાલપુર મંદિરેથી સવારે 7 કલાકે મુખ્યમંત્રી આનંદીબહેને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદ વિધિ કરી. મંગળા આરતી બાદ પ્રભુજીને ખાસ ગવાર-કોળાનું શાક, ખીચડીનો ભોગ ધરાવાયો હતો. 


ફોટા - સાભાર ફેસબુક