ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : બુધવાર, 30 ડિસેમ્બર 2015 (14:59 IST)

વર્ષ 2016 વ્યાપાર-ધંધા માટે કેવું રહેશે ?

શુ તમે નવા વર્ષના સ્વાગત માટે સંપૂર્ણ રીતે તૈયાર છો શુ નવા વર્ષમાં તમને એક માર્ગદર્શકની જરૂર છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ વર્ષ તમારુ ભવિષ્યફળ જ તમારુ માર્ગદર્શક રહેશે. 
 
શુ તમે જાણો છો કે આવનારુ આ વર્ષ તમારે માટે શુ લઈને આવી રહ્યુ છે ? શુ તમે જાણો છો કે નવા વર્ષમાં શુ શુ થવાનુ છે ?વ્યાપારીઓ અને ધંધાદારીઓના વ્યાપાર માં શું રહેશે બધા જાણવા માટે જુઓ સંપૂર્ણ રીતે વૈદિક જ્યોતિષ પર આધારિત બધાના રાશિફળ 2016 નવા વર્ષમાં ડગલે ડગલે તમારો મદદગાર સાબિત થશે. 
 
મેષ - નવા વર્ષમાં ધંધાદારીઓને ઉથલ-પાથલ  જોવા મળશે. એકાચિત થઈને વ્યાપારના વિસ્તારના અને નવા ધંધાને શરૂ કરવા માટે વિચારવું સારું રહેશે.બેકારના મુદ્દા તમારી માટે પરેશાનીઓ ઉભી કરી શકે છે. આ સદા સત્ય છે કે રાત પછી દિવસ આવે છે  , તમારા પ્રયાસને જારી રાખો. સફળતા જરૂર મળશે. પૈસા ની આવક નિર્વાધ રૂપથી થતી રહેશે. પણ જો તમે આર્થિક ક્ષેત્રોથી સંબંધ રાખો છો તો થોડી હાનિ થવાની શકયતા છે. ધૈર્ય બનાવી રાખો. અને આથિક બાબતેમાં સ તક્રતા રાખો. અગસ્ત પછીએ બધી પરેશાનીઓ પોતે દૂર થઈ જશે. એવા તમારા સિતારાના કહેવું છે. 
વૃષભ - ધંધાદારીઓને પરિશ્રમનું  ફળ મળશે . જો તમારા જીવનસાથી પણ વ્યાપારમાં ભાગીદાર છે તો લાભ વધારે થઈ શકે છે. આમ તો તમારા ઉપર દગાબાજી  અને વિશ્વાવસઘાતના આરોપ લગી શકે છે આથી આર્થિક બાબતોમાં સાવધાની રાખો. વ્યાજ પર પૈસા આપતા વધારે સાવધાની રાખવાની જરૂર છે કારણ કે ઓગસ્ટ  સુધી સ્મય તમારા માટે અનૂકૂળ નથી આ મહિના પછી નિશ્ચિત જ તમારા દિવસો સારા આવશે અને ભાગ્ય તમારા દ્વાર પર પધારશે. તમને અનેક મુશેકેલીઓનો સામનો કરવો  પડે પણ તમારું ખિસ્સુ ક્યારે પણ ખાલી નહી રહે. 

મિથુન - આ વર્ષ તમારા માટે ખુશીઓની સૌગાદ લઈને આવ્યુ  છે. ધંધાદારીઓને આશા છે કે વધારે લાભ થશે.આમ તો ખોટી રીતે પૈસા કમાવવું પણ લાભકારી થઈ શકે છે.  પણ આ યોગ્ય નથી. વિભિન્ન સ્ત્રોતોથી ધનનું  આગમન થશે. લક્ષ્મી તમારા દ્વાર પર દસ્તક આપશે. જો પોતે વ્યાજ પર પૈસા આપો છો તો લાભ થવાની શક્યતા છે. એ સિવાય જે લોકો શિક્ષાના ક્ષેત્ર સાથે  સંકળાયેલા છે કે એના સંબંધિત ક્ષેત્રમાં  પૈસા લાગ્યા છે એને પણ સારો  લાભ થશે. વકીલાત  કરતા લોકો માટે આ વર્ષ કોઈ ઉપહારથી ઓછો નહી રહે.  

કર્ક - ધંધાદારીઓને આ વર્ષે અપ્રત્યાશિત લાભ મળી શકે છે. જો પોતાનો ધંધો છે તો નામ પણ મળશે અને દામ પણ . તમારા હરીફ તમારી નકલ કરવાની કોશિશ કરશે , પણ એ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહેશે. આ સમયે તમારી સફળતા ક્રોધ અને અહંકારને ત્યાગવું સારું છે. બૃહસ્પતિની મહાદશામાંથી પસાર થઈ રહેલા લોકોને ખૂબ સુખ સમૃદ્દિ મળશે બીજા લોકોને પણ લાભ થશે પણ કોઈ ખાસ નહી. 
 

સિંહ -કોઈ પણ ધંધાનું  એક જ લક્ષ્ય હોય છે ,  એ છે વધારેથી વધારે લાભ કમાવવો.  આ વર્ષ તમારી બધી મનોકામનાઓને પૂર્ણ  કરશે. તમારી જન્મ કુંડળી મુજબ આ વર્ષ અપેક્ષાકૃત વધારે લાભ થશે, પણ તમારી બધી મનોકામનાઓ અગસ્ટ  પછી જ પૂરી થશે . જે લોકો ધંધા કે રિયલ એસ્ટેટ સાથે  સંકળાયેલા છે , એમને થોડા  નિરાશ થવું પડી શકે છે આમ તો ચિંતા કરવાની વાત નથી.  તમને 11 અગસ્ટ પછી શેયર બજારમાંથી સારો લાભ થશે. જો તમારા રાજ્યમાં લૉટરી ગેરકાયદેશર નથી તો તમે એમાં પણ ભાગ્ય અજમાવી શકો છો. સફળ થવાની શક્યતાઓ છે. 

કન્યા - નોકરિયાત લોકોને સફળતા મળશે પણ ઓગસ્ટ પછી.. કારણ કે સારી વસ્તુઓ મોડાથી જ મળે છે. જો ગુરૂ અને શનિનો પ્રભાવ તમારા પર પડી રહ્યો છે તો સંયમથી કામ લો અને કોઈ પ્રકારનુ રોકાણ કરવાથી દૂર રહો. કોઈપણ રીતે ધન એકત્ર કરવાનો પ્રયત્ન કરો. ભાગ્ય તમને જરૂર સાથ આપશે. વેપારમાં ઓગસ્ટ પછી જ ભાગીદારી કરો તો સારુ રહેશે.  
 

તુલા - કોઈપણ પ્રકારના જમીન સંબંધી લેવડ-દેવડમાં બે ચાર લોકોની સલાહ લઈને જ નિર્ણય લેવો  તમારે માટે હિતકારી રહેશે. જોશમાં આવીને નિર્ણય લેવો આર્થિક નુકશાનનુ કારણ બની શકે છે. આ વર્ષ સમજી-વિચારીને પૈસા ખર્ચ કરો અને ઉધાર લેવાથી દૂર રહો. દોસ્ત અને અન્ય લોકો તમને દગો કરી શકે છે.  તેથી દરેક પગલુ ફૂંકી ફૂંકીને મુકો. 11 ઓગસ્ટ પછી જો તમારા પર ગુરૂની મહાદશા ચાલી રહી છે તો ભારે નુકશાન અને બિનજરૂરી ખર્ચા થવાની શક્યતા છે. 
 

વૃશ્ચિક- વેપારમાં આ વર્ષે તમે સારા નફાની આશા કરી શકો છો. ગેરકાયદેસર સ્ત્રોતોમાંથી પણ બમણો નફો થવાનો છે. નાના વ્યવસાયમાંથી પણ તમે સારો નફો કમાવશો. તેથી તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ વર્ષે ભાગ્ય તમારી દરેક રીતે મદદ કરવાનુ છે. મિત્રો અને ચાહકોની મદદથી તમારા અનેક મહત્વપુર્ણ કાર્ય પુરા તહ્શે. જો કે તેમ છતા પણ વર્ષના કેટલાક દિવસોમાં મુશ્કેલી વધી શકે છે.   વ્યાપરિકા ભાગીદારો સાથે તર્ક-વિતર્ક થઈ શકે છે અને તે તમને દગો પણ આપી શકે છે. ટૂંકમાં તમારે સંપૂર્ણ રીતે સાવધ રહેવાની જરૂર છે.  
ધન- જે લોકોના વ્યવસાય છે એને સારું લાભ મળશે. આથિક ફેસલા લેતા સમયે પૂરી સાવધાની રાખો નહી તો ભારે નુક્શાન ઉઠાવું પડી શકે છે. જલ્દમાં કોઈ નિર્ણય ન લેવું. ખોટા-સહીના ચુનાવ કર્યા પછી જ નિર્ણય લેવું.નિશ્ચિત રીતે જો તમને સારા પરિણામ મળશે. ગૈરકાનૂની રીતેથી ધન કમાવવાની કોશિશ ન કરો. નહી તો સકારાત્મ્ક પરિણામોની જગ્યા તમને નકારાત્મક પરિણામ મળી શકે છે અને તમે જેલ પણ જવું પડી શકે. એકત્ર સંપતિને વ્યર્થ ન કરવું. 
મકર - આ વર્ષે તમને વેપારમાં સારો નફો થવાનો છે. જો રાહુ, કેતુ, ગુરૂ કે કોઈ અન્ય ગ્રહની દશા ચાલી રહે છે તો સાવધાન રહેવાની જરૂર છે. આ ગ્રહ તમારા કાર્યોને પ્રભાવિત કરી શકે છે. વેપારમાં તમને નવા ભાગીદાર પણ મળી શકે છે.  ગ્રહોના સ્થાનમાં તમામ પરિવર્તનો છતા પણ તમને નફો પ્રાપ્ત થશે. સાથે જ વેપારનો પણ વિસ્તાર થશે. સરકારી સોદા અને સમજૂતીથી તમારો નફો બમણો થવાનો છે.  તમને કેટલાક નવા રોકાણકારો પણ મળશે. આ વર્ષને તમારા જીવનનું સૌથી સારુ વર્ષ બનાવવા માટે કોઈ કસર છોડવી તમારે માટે ખોટનો સોદો રહેશે. 
કુંભ - જે લોકો શનિની દશામાંથી પસાર થઈ રહ્યા છે તેમને માટે આવનારા 4-5 વર્ષ સારા રહેશે. પણ જેમના પર ગુરૂની દશા ચાલી રહી છે તેમને થોડી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. પણ સાથે જ તમારુ પ્રમોશન પણ થશે. તેથી હતાશ થવાની જરૂર નથી. કેતુની દશામાં પસાર થઈ રહેલા લોકોને વધુ મુશ્ક્લી થઈ શકે છે. સામાન્ય રીતે નોકરી સાથે સંબંધિત બધા મામલામાં આ વર્ષ તમારે માટે સારુ સાબિત થશે. પદોન્નતી થશે અને સેલેરી પણ વધશે. 

મીન- કહેવાય છે કે સારા દિવસો આવતા પહેલા ખરાબ દિવસો જોવા પડે છે. તમારી સાથે પણ આવુ જ કશુ થવાનુ છે. શરૂઆતમાં થોડી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.  પણ સમય સાથે સ્થિતિઓમાં સુધાર થશે. વર્ષ 2016 સફળ થવા માટે તમને ઢગલો તક આપશે. પણ તમારી કાબેલિયત એ અવસરોને ઓળખવામા જ છે. નવી નોકરી મળી શકે છે. જો કે નવી નોકરી ન મળ્યા સુધી વર્તમન નોકરી છોડવી બેવકુફી ભરેલુ કામ રહેશે. જો તમાને નવી નોકરી મળતા પહેલા વર્તમન નોકરી છોડી દીધી તો નવી નોકરી માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી શકે છે.