શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Modified: મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (12:40 IST)

જ્યોતિષ 2016-ગુપ્ત નવરાત્ર નિમિત્તે મંગળવારથી શનિવાર સુધી કરો કંઈક ખાસ અને મેળવો મનગમતુ ફળ

આજે ગુપ્ત નવરાત્ર અને પંચકનો મહાસંયોગ શરૂ થયો છે. મંગળવારે અને ધનિષ્ઠા નક્ષત્રને કારણે અને 9 તારીખ હોવાથી આજના દિવસનું વિશેષ મહત્વ છે. આવનારા 5 દિવસ અનેક મામલે ખૂબ વિશેષ છે. આ દિવસોમાં કંઈક કામ કરવાથી અતૂટ લક્ષ્મીની પ્રાપ્તિ થઈ શકે છે. તો કેટલાક કામ ન પણ કરવા જોઈએ. 
 
શાસ્ત્રો મુજબ આવનારા પાંચ દિવસ સ્વયં પર ગ્રહોના નકારાત્મક પ્રભાવને કારણે ખરાબ આરોગ્યને સુધારવા માટે સર્વોત્તમ છે. 9 ફેબ્રુઆરી મંગળવારથી લઈને 13 ફેબ્રુઆરી શનિવાર સુધી કરો કંઈક ખાસ અને મેળવો મનગમતુ ફળ. 
 
- સ્વાસ્થ્યમાં સુધાર માટે આજથી સતત 8 દિવસ સુધી હનુમાનજીના મંદિરમાં કૃષ્માંડ(ગ્રીન પેઠા) ચઢાવો. 
- જાદૂ-ટોણાની અસર બેઅસર કરવા માટે લાલ કપડામાં 12 લીંબૂ બાંધીને પોતાના માથા પરથી 12 વાર ઉતારીને જળમાં વહાવી દો. 
- અતૂટ લક્ષ્મી પ્રાપ્તિ માટે 7 ગોમતી ચક્રમાં લક્ષ્મીજી પર રોજ એક ગોમતી ચક્ર ચઢાવીને ગુલાબી કપડામાં બાંધીને ઘરની ઉત્તર પશ્ચિમ  દિશામાં છુપાવીને મુકો. 
- આર્થિક સમસ્યાઓથી મુક્તિ માટે મંગળવારથી લઈને શનિવાર સુધી પાંચ દિવસ માટે રોજ જળમાં એક નારિયળ  વિસર્જીત કરો. 
- પારિવારિક સુખ-શાંતિ માટે ઘરના બધા સભ્ય મંગળવારથી શનિવાર સુધી 5 દિવસ સુધી રોજ એક જાયફળ પોતાના માથા પરથી ઉતારીને કપૂર સાથે સળગાવો.