શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જનમ દિવસ
Written By

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (22.10 .2015)

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 22 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
તારીખ 22ના રોજ જન્મેલા વ્યક્તિનો મૂલાંક 4 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ જીદ્દી, કુશાગ્ર બુદ્ધિવાળા અને સાહસી હોય છે. આવી વ્યક્તિને જીવનમાં અનેક પરિવર્તનોનો સામનો કરવો પડે છે. જેવા કે તેજ સ્પીડથી આવતી ગાડીને અચાનક બ્રેક લગાડવામાં આવે એવુ તેમનુ ભાગ્ય હશે. પણ એ પણ નિશ્ચિત છે કે આ અંકવાળા મોટાભાગના લોકો કુળદિપક હોય છે. તમારુ જીવન સંઘર્ષશીલ હોય છે. તેમનામાં અભિમાન પણ હોય છે. આ લોકો દિલના કોમળ હોય છે. પણ બહારથી કઠોર દેખાય છે. તેમના નેતૃત્વની ક્ષમતાના લોકો કાયલ હોય છે. 
 
શુભ તારીખ  : 4,  8,  13,  22,  26,  31 
 
શુભ અંક્  : 4,  8,18,  22,  45,  57
 
શુભ વર્ષ  : 2015,  2020,  2031,  2040,  2060   
 
ઈષ્ટદેવ - શ્રી ગણેશ. શ્રી હનુમાન 
 
શુભ રંગ - ભૂરો-કાળો અને આસમાની 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 4નો સ્વામી રાહુ છે. બીજી બાજુ વર્ષનો મૂલાંક 5 છે. બંને વચ્ચે મિત્રતા છે આ વર્ષ ગયા વર્ષના દુષ્પ્રભાવોને દૂર કરવામાં સક્ષમ છે. તમે સજાગ રહીને કાર્ય કરવુ પડશે. પારિવારિક બાબતોમાં સહયોગ દ્વારા સફળતા મળશે. માન-સન્માનમાં વધારો થશે. બીજી બાજુ મિત્ર વર્ગનો સહયોગ મળશે. નવીન વેપારની યોઅજના પ્રભાવી થતા સુધી ગુપ્ત જ રાખો. શત્રુ પક્ષ પર પ્રભાવપૂર્ણ સફળતા મળશે. નોકરિયાત પ્રયાસ કરશે તો ઉન્નતિના ચાંસ પણ છે. વિવાહના બાબતે આશ્ચર્યજનક પરિણામ આવી શકે છે. 
 
મૂલાંક 4ના પ્રભાવ વાળા વિશેષ વ્યક્તિ 
 
- જોર્જ વોશિંગટન 
- રિતુ શિવપુરી 
- નમ્રતા શિરોડકર 
- ઉર્મિલા માતોડકર 
- જાવેદ જાફરી