અક્ષય કુમારના પરિવારે આ વખતે દિવાળી ન ઉજવી.. જાણો કેમ ?
બોલીવુડમાં બધા કલાકારોએ દિવાળીનો તહેવાર ધૂમધામથી મનાવ્યો. પણ બોલીવુડના ખેલાડી કુમાર અક્ષય અને તેમને પત્ની ટ્વિંકલ ખન્નાએ દિવાળીનો તહેવાર નથી ઉજવ્યો. વાત એમ છે કે અક્ષય કુમારના ઘર પર ઉદાસી હતી. અક્ષય કુમારના પાલતૂ કૂતરા ઓકીનુ રવિવારે મૃત્યુના કારણે અક્ષયના ઘરે આ વખતે દિવાળી ઉજવી નહી.
અક્ષય કુમારના પુત્ર આરવના ઓકી સાથે મોટો લગાવ હતો. આ કારણે આરવ પણ ખૂબ દુ:ખી હતા. જર્મન શેપર્ડ પ્રજાતિનુ આ કુતરુ આરવના જન્મ સાથે તેમની સાથે હતો. સમાચાર મુજબ ઓકીની વય થવાને કારણે તેમનુ મૃત્યુ થઈ ગયુ. આ કારણે અક્ષય કુમારના પરિવારે આ વખતે દિવાળી ન ઉજવી.