ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ , ગુરુવાર, 30 ઑક્ટોબર 2014 (12:42 IST)

અમિતાભ બચ્ચને પણ સ્વચ્છતા અભિયાન હેઠળ ઝાડુ લગાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન સાથે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ જોડાય ગયા છે. અમિતાભે મુંબઈમાં સફાઈ કરી અને તેમણે ટ્વિટર પર લોકોને આ વાતની માહિતી આપી. અમિતાભે પોતાના પ્રશંસકોને કહ્યુ કે બધાએ આ અભિયાન સાથે જોડાવવુ જોઈએ. આ સાથે જ અમિતાભે સફાઈ કરતી પોતાની તસ્વીરો પણ પોસ્ટ કરી છે. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી અને અનેક મોટી હ્સ્તિઓને સફાઈ કરવાની ચેલેંજ આપી હતી.  ત્યારબાદ દેશની અનેક નાની મોટી હસ્તિયોએ આ અભિયાન સાથે જોડાઈ. . અમિતાભ પહેલા બોલીવુડ સ્ટાર ઋત્વિક રોશન, સલમાન ખાન બીજી બાજુ ક્રિકેટ સ્ટાર સચિન તેંડુલકર યોગ ગુરૂ બાબા રામદેવ કોંગ્રેસ નેતા શશિ થરુર પણ આ અભિયાન સાથે જોડાય ચુક્યા છે. 




(ફોટા - સાભાર ટ્વિટર)