શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ , સોમવાર, 27 ઑક્ટોબર 2014 (14:52 IST)

સદાશિવ અમરાપુરકરની હાલત ગંભીર

પીઢ અભિનેતા સદાશિવ અમરાપુરકરની સ્થિતિ ગંભીર છે અને તે કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમને ફેફસાંની બીમારી છે. તેઓ છેલ્લા બે સપ્તાહથી હોસ્પિટલમાં છે અને એક સપ્તાહથી આઈસીયુમાં છે. તમને ફેફસાંમાં ઈફ્રેકશન થવાથી ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે અને દિવસે તેમની સ્થિત બગડતી જાય છે. 
 
તેમણે 1983માં ફિલ્મ અર્ધસત્યથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો અને આખરી હુકુમત એલાન-એ-જંગ ફરિશ્તે 
જેવી અબેક ફિલ્મો કરી હતી. મહેશ ભટ્ટ દિગદર્શિત ફિલ્મ સડકથી તેમને ખૂબ જ સારી નામના મળી હતી. તેમાં તેમણે મહારાની નામના વ્યંઢળની ભૂમિકા કરી હતી.