ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

'અમર અકબર એંથોની' ની રિમેક બનશે

IFM
'અમર અકબર એંથોની'ને રીમેક બનાવવાનો વિચાર ડેવિડ ધવનના મગજમાં ઘણા લાંબા સમયથી છે. તેઓ મનમોહન દેસાઈના પ્રશંસક છે અને આ હિટ ફિલ્મને ફરીથી બનાવવા માંગે છે. એવુ જાણવા મળ્યુ છે કે ખાન બંધુઓ (સલમાન, અરબાજ અને સોહેલ)ને લઈને આ ફિલ્મની રીમેકને બનાવવા જઈ રહ્યા છે.

અમિતાભ, વિનોદ ખન્ના, અને ઋષિ કપૂર અભિનીત 'અમર અકબર એંથોની'એ પોતાના સમયમાં ધૂમ મચાવી દીધી હતી. ફોર્મૂલાવાળી આ ફિલ્મ બધાને ઘણી ગમી હતી અને આજે પણ ટીવી પર આને જોવી લોકોને ગમે છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ અમિતાભવાળો રોલ સલમાન, વિનોદ ખન્નાવાળો રોઅલ અરબાજ અને ઋષિ કપૂરવાળો રોલ સોહેલ નિભાવશે. ત્રણ નાયિકાઓની પસંદગી થવી બાકી છે, પરંતુ આ વાતની શક્યતા છે કે તેઓ કેટરીના કેફને આ ફિલ્મમાં સલમાનની નાયિકા બનાવે.

થોડાંક વર્ષો પહેલા ડેવિડના મગજમાં ક્લાસિક હાસ્ય ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'ની રીમેક બનાવવાનો વિચાર આવ્યો હતો. સની, બોબી અને અભય દેઓલને લઈને તેઓ આ ફિલ્મ બનાવવાના હતા, પરંતુ પાછળથી આ વિચારને અમલમાં ન લાવી શકાયો.