ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ , શનિવાર, 29 નવેમ્બર 2014 (14:09 IST)

આલિયાને એપેંડિક્સ

બોલીવુડ અભિંનેત્રી આલિયા ભટ્ટ અંગે એવા સમાચાર આવી રહ્યા છે કે ઘણા દિવસોથી તેની તબીયત સારી નથી. જેના પરિણામે તે ઘરે આરામ ફરમાવી રહી છે. પરંતુ બધા રિપોર્ટ બાદ તેને એપેંડિક્સ નહી હોવાનું નિદાન ડોકટરો દ્વ્રારા કરવામાં આવ્યું છે. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ ,વિકાસ બહલની ફિલ્મ શાનદાર શુટિંગ દરમિયાન આલિયા શુટિંગ અધવચ્ચેથી છોડીને રવિવારના રોજ ઘરે આવતી રહી હતી. ત્યારથી તેમી સતત આરામ જ કરી રહી છે. ગઈકાલે તેની તબીયત વધુ ખરાબ થઈ ગઈ ત્યારે ડાકટરો તેનું કારણ જાણવા માટે  અનેક ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. 
 
એવું સાંભળવામાં આવ્યા છે કે આલિયાને પેટમાં દર્દ થઈ રહ્યું હતું . જેનું કારણ એપેંડિકસ બતાવાવામાં આવતું હતું આલિયાના પિતા જાણીતા ફિલ્મ ડાયરેકટર મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે આલિયાની તબીયત હવે પહેલાં કરતાં વધું સારી છે . ગભરાવવાની કોઈ જરૂર નથી . તમામ ટેસ્ટ સામાન્ય આવ્યા છે. 
 
આલિયાની આવી હાલત ખૂબ તાવ અને એસિડીટીના કારણે થઈ હતી. તેને એપેંડિકસ નથી તેમ મહેશ ભટ્ટે ઉઅમેર્યું હતું.