શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , મંગળવાર, 1 સપ્ટેમ્બર 2015 (12:53 IST)

કંગના રાણાવટે 3 દિવસ સુધી કશુ ખાધુ નહી અને કોઈની સાથે વાત પણ ન કરી, જાણો કેમ ?

કંગના રાણાવતે વર્તમાન દિવસોમાં પોતાની ફિલ્મો અને પાત્રો માટે ખૂબ વધુ મહેનત કરી રહી છે. ફિલ્મ 'કટ્ટી-બટ્ટી' ની શૂટિંગ દરમિયાન કંગનાએ ત્રણ દિવસ સુધી કશુ પણ ખાધુ પીધુ નહી. એટલુ જ નહી કંગનાએ ત્રણ દિવસ સુધી કોઈની સાથે વાતચીત પણ કરી નહી. 
 
ઉલ્લેખનીય છે કે 'કટ્ટી-બટ્ટી'ની છેલ્લી 20 મિનિટ ખૂબ જ લાગણીશીલ ને ગંભીર છે. આ 20 મિનિટમાં કંગનાએ કંઈક અલગ અને સારો અભિનય કરવાનો હતો તેથી કંગનાએ આ દ્રશ્યોને શૂટ કરવા માટે  ખાવા પીવાનુ છોડી દીધુ અને લગભગ ત્રણ દિવસ સુધી એ ભૂખી તરસી રહી જેથી તેના ચહેરા પર તકલીફ અને ગંભીરતા જોવા મળે. બસ કંગના કોઈની સાથે વાતચીત કર્યા વગર શૂટિંગ કરતી  હતી. 
 
ફિલ્મ 'કટ્ટી-બટ્ટી' ના પ્રમોશન દરમિયાન કંગનાએ કહ્યુ કે મારો રોલ ગંભીર છે. જો કે મે પહેલા પણ ફેશન અને ગેંગસ્ટર્સ જેવી અનેક ફિલ્મોમાં ગંભીર રોલ કર્યા છે. પણ આ પાત્ર થોડુ અલગ છે અને મુશ્કેલ છે. વિશેષ રૂપે છેલ્લી 20 મિનિટ ખૂબ ખાસ છે.   હુ તમને એ દ્રશ્યો વિશે હાલ નથી બતાવી શકતી કે એ શુ છે. પણ જ્યારે તમે ફિલ્મ જોશો તો સમજી જશો કે મારે ભૂખા તરસ્યા રહેવુ કેમ જરૂરી હતુ.