બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઇ: , મંગળવાર, 15 એપ્રિલ 2014 (15:57 IST)

કેટરીના માટે ઘર છોડશે રણબીર !

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને કેટરિના કૈફની લવ સ્ટોરીમાં એક નવુ ટ્વિસ્ટ આવ્યુ છે. રણબીર કપૂર હવે નવુ ઘર શોધી રહ્યો છે.  માનવામાં આવી રહ્યુ છે કે આ પાછળનું  કારણ છે કેટરીના કૈફ .

સુત્રો પ્રમાણે કહેવાય છે કે રણબીર કપૂર હાલ બાંદ્રા-જુહુ વચ્ચે ઘર શોધી રહ્યો છે,  જ્યાં તે કેટરીના સાથે લગ્ન પછી શિફટ થવા માંગે છે.  ચર્ચા છે કે રણબીરના  પિતા રિશી કપૂરને કેટરિનાનું  ઘરમાં આવવુ પસંદ નથી. કહેવાય છે કે આ વિશે રણબીર અને ઋષિ કપૂરે ઘણી ચર્ચા પણ કરી હતી.

લાંબા સમયથી રણબીર કપૂર અને કેટરિના કૈફના પ્રેમ વિશે ચર્ચા થઈ રહી હતી .  થોડા દિવસ પહેલા તો આ સમાચાર પણ આવ્યા હતા કે બન્ને 2015માં લગ્ન કરશે. એમ તો કેટ અને રણબીર આ અહેવાલને અફવા તરીકે ઓળખાવી રહ્યા હતા. રણબીર કપૂર હવે ફિલ્મ 'રોય', 'બોમ્બે વેલ્વેટ' અને 'જગ્ગા જાસૂસ"માં ખૂબજ વ્યસ્ત છે. તેથી તેણે તેના મિલકત ડીલરોને એમના માટે નવું ઘર શોધવાનુ કહ્યુ  છે.