શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , મંગળવાર, 30 જૂન 2015 (11:28 IST)

કેમ અમિતાભ બચ્ચન એકાંતમાં રહેવા માંગે છે ?

ચાર દસકાથી વધુ સમયથી દર્શકોના દિલો પર રાજ કરી રહેલા મહાનાયક અમિતાભ બચ્ચન કહે કહે છે કે ક્યારેક ક્યારેક તેમનુ મન કરે છે કે તેઓ દિન-દુનિયાથી દૂર ક્યાક એકાંતમાં જતા રહે. 
 
72 વર્ષીય અમિતાભે દરેક રવિવારે સવારે પોતાના ઘર જલસાની બહાર પ્રશંસકો સાથે થનારી મુલાકાત પછી પોતાની વ્યસ્તતા ભરેલી દિનચર્યાને લઈને પોતાની ભાવનાઓ બ્લોગ પર દર્શાવી છે. 
 
બિગ બીએ પોતાના બ્લોગ પર લખ્યુ, "લોકો અને શુભચિંતકોની ભીડ અને શોર થોડો વધુ છે. હવે બહાર જવુ અને તેમની મુલાકાત કરવામાં એક ભય છે. ન જાને તેઓ શુ વિચારશે, શુ કહેશે અને કેવો વ્યવ્હાર કરશે...  કરવા અને વિચારવા માટે ઘણુ બધુ છે. ક્યારેક ક્યારેક ઈચ્છા થાય છે કે કાશ ! હુ આ બધી વસ્તુઓથી દૂર જઈ શકુ અને એકાંતમાં રહી શકુ" આ વર્ષે અમિતાભની વજીર રજુ થશે.  જેમા તેમની સાથે ફરહાન અખ્તર છે