શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ , બુધવાર, 1 એપ્રિલ 2015 (15:58 IST)

'દિલવાલે'ના સેટ પર કૃતિ પર નારાજ થયા રોહિત શેટ્ટી

બોલીવુડના એકશન ડાયરેક્ટર રોહિત શેટ્ટી શાહરૂખ સાથે તેમની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસબી સફળતા બાદ હવે કાજોલ અને શાહરૂખની સુપરહીટ જોડીને ફરી બોલીવુડમાં આવી રહ્યા છે. જે ફિલ્મનું નામ છે. દિલવાલે આ ફિલ્મની શૂટીંગ પણ રોહિત શેટ્ટી શૂટીંગ દરમિયાન નારાજ હોવાના સમાચાર આવી રહ્યા છે. તે પણ પોતાની ફિલ્મની અભિનેત્રે કૃતિ સનોન પર 
 
આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને કાજોલની સુપરહિટ જોડી સિવાય કૃતિ સનોન અને વરૂણ ધવન પણ મુખ્ય ભૂમિકામાં છે. નિર્દેશક રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલેની શૂટિંગ છેલ્લા અઠવાડિયામાં શરૂ થઈ છે. જો કે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રોહિત શેટ્ટી શૂટીંગ દરમિયાન કોઈ પણ પ્રકારની ખલેલ સહન કરતા નથી. પરંતુ શૂટીંગ દરમિયાન કૃતિના કેટલાક મિત્રો શાહરૂખને મળવા માટે સેટ પર આવ્યા હતા. જેને કારણે રોહિત શેટ્ટી કૃતિ અને તેન મિત્રોના વર્તનને કારણે પરેશાન થઈ ગયા હતા. 
 
જો કે આ વાતની ખબર કૃતિને થઈ કે તેનાથી રોહિત તેનાથી નારાજ છે તો તે અપસેટ થઈ ગઈ તેણે રોહિતને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ થોડી વાર પછી રોહિત સામાન્ય થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે કૃતિ પોતાની ફિલ્મને લઈને ઘણી ઉત્સાહિત છે. તેણે હિરોપંતીથી બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પણ શાહરૂખ ખાન સાથે ફિલ્મમાં રોમાંસ કરવા માંગે છે. 
 
કૃતિ કહેવું છે કે શાહરૂખ ખાન મારા ફેવરીટ છે. હું તેમાની ફિલ્મો જોતા જોતા મોટી થઈ છું . આ ફિલ્મમાં 17 બીજા કલાકારોની લાંબી લિસ્ટ છે. દર્શકોને રજૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ શાહરૂખ ખાન અને કાજોલ મુખ્યભૂમિકામાં જોવા મળશે.