શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

નરેન્દ્ર મોદી દેશના સૌથી પરફેક્ટ બેચલર - મલ્લિકા શેરાવત

ઉદયપુર. બોલ્ડ અંદાજ માટે જાઁણીતી અભિનેત્રી મલ્લિકા શેરાવતનુ કહેવુ છે કે ગુજરાતના મુખ્યમંત્રી(62) દેશના સૌથી પરફેક્ટ બેચલર છે. મલ્લિકા ટૂંક સમયમાં જ ટીવી કાર્યક્રમ 'ધ બેચલરેટ ઈંડિયા - મેરે ખયાલોકી મલ્લિકા'ના માધ્યમથી પોતાના માટે યોગ્ય જીવન સાથી શોધવાનુ અભિયાન શરૂ કરવાની છે. મલ્લિકા દ્વારા મોદીને સૌથી યોગ્ય કુંવારા કહેવા પાછળ પણ કારણ છે. તેને એવુ પૂછતા કે દેશના સૌથી યોગ્ય કુંવારા કોણ છે, તેમણે કહ્યુ કે મને લાગે છે કે નરેન્દ્ર મોદી. તે હોશિયાર છે, પ્રગતિશિલ વિચારવાળા છે અને મારી જેમ તેમના વિશે પણ ઘણીવાર ખોટા વિચાર બનાવી લેવામાં આવે છે. 36 વર્ષીય મલ્લિકાએ આ વાત શુક્રવારે પોતાના આવનાર ટીવી કાર્યક્રમ 'ધ બેચલરેટ ઈંડિયા- મેરે ખ્યાલો કી મલ્લિકા'ના પ્રચાર દરમિયાન કરી.

તે ખૂબ ખુશ લાગી રહી હતી. આકર્ષક ગાઉનમા મલ્લિકા ખૂબ સુંદર લાગી રહી હતી. કાર્યક્રમનુ આયોજન ફતેહગઢ કિલ્લામાં કરવામાં આવ્યુ. શુક્રવારે કાર્યક્રમની લોંચિગના પ્રસંગે ફતેહગઢ કિલ્લો જે હવે એક હોટલ છે, ફૂલો, પ્રકાશ લાઈટ અને મીણબત્તીઓથી સજ્યો હતો. મલ્લિકા ટ્વિટર પર પણ લખ્યુ છે કે હુ 'ધ બેચલરેટ ઈંડિયા'ના પ્રથમ પ્રોમોના લોંચિગ માટે ખૂબ ઉત્સુક છુ.

આ કાર્યક્રમમાં 30 કુંવારા હરીફોમાંથી મલ્લિકા માટે એક યોગ્ય વ્યક્તિ શોધવામાં આવશે. કાર્યક્રમની લોંચિગના પ્રસંગે અભિનેતા રોનિત રોય પણ હાજર હતા. રોહિત કાર્યક્રમની મેજબાની કરી રહ્યા છે. તેમણે કાર્યક્રમના 15 હરીફોનો પરિચય આપ્યો. આ કાર્યક્રમ સાત ઓક્ટોબરથી લાઈફ ઓકે ચેનલ પર આવશે.