શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ. , ગુરુવાર, 23 એપ્રિલ 2015 (13:08 IST)

નસ્લભેદી જાહેરાતના વિવાદમાં ફંસાઈ એશ્વર્યા રાય

એશ્વર્યા રાય બચ્ચન જ્વેલરીની એક જાહેરાતને લઈને વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ જાહેરાતમાં એશ્વર્યાએ શાનદાર આભૂષણ પહેરેલ બતાવી છે. તેની પાછળ એક અશ્વેત બાળક હાથમાં છત્રી લઈને ઉભો છે. સામાજિક કાર્યકર્તાઓએ આને નસ્લભેદી કરાર આપતા એશ્વર્યા પર પ્રશ્નોનો માર શરૂ કર્યો છે. 
સામાજીક કાર્યકર્તાઓનુ કહેવુ છે કે આ જાહેરાતમાં નસ્લભેદ અને બાળ મજુરી દેખાય રહી છે. બીજી બાજુ એશ્વર્યાનુ કહેવુ છે કે જ્યારે જાહેરાતનુ શૂટિંગ થયુ હતુ ત્યારે આવુ કશુ જ નહોતુ. કંપનીએ પછી ઈમેજિંગ દ્વારા આ બાળકના ચિત્રને જોડ્યુ છે.  
 
વાંધો ઉઠાવનારા આ કાર્યકર્તાઓમા મહિલા અને બાળકોના અધિકાર માટે લડનારા અનેક લોકોનો સમાવેશ છે. તેમા ફરાહ નકવી, હર્ષ મંદર અને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની પૂર્વ અધ્યક્ષ શાંતિ સિન્હાનો પણ સમાવેશ છે. સામાજીક કાર્યકર્તાઓના આ સમુહે એશ્વર્યાને ચિઠ્ઠી લખીને પોતાની નારાજગી દર્શાવી છે. જેમા એશ્વર્યા પર બાળશ્રમને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. તેમને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ વિવાદીત જાહેરાતથી દૂર રહે.