શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 22 નવેમ્બર 2014 (17:27 IST)

યશ ચોપરાના જીવન પરથી ફિલ્મ બનશે ?

બોલીવુડના જાણીતા દિગ્દર્શક સ્વર્ગીય યશ ચોપડાના જીવન પરથી ફિલ્મ બને તેવું તેમની પત્ની પામેલા ચોપરા આશા રાખી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે ભવિષયમાં પતિના જીવન પર આધારિત એક ફિલ્મ બનાવશે. 
 
મિલ્ખા સિંહ ,એમસી મેરી કોમ ,કિશોર કુમાર ,દારાસ સિંહ જેવી હસ્તિઓના જીવન પર ફિલ્મ બની ચૂકી છે. પામેલાને જ્યારે પતિના જીવન પર ફિલ્મ  બનાવવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે યશ ચોપડા જીવન પર આધારિત ફિલ્મ બનાવવા અંગે વિચારી રહી છું . પામેલાએ દ્વિતીય યશ ચોપરા મેમોરિયલ એવોર્ડની જાહેરાત પર બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં આ વાત કરી હતી. 
 
યશ ચોપરાને કાલા પત્થર ,દીવાર ,કભી કભી ,ડર, દિલ તો પાગલ હૈ અને જબ તક હૈ જાન જેવી ફિલ્મોના નિર્દેશન માટે ઓળખવામાં આવે છે.