બુધવાર, 17 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 31 જુલાઈ 2014 (18:08 IST)

રિતિકે સુજૈન દ્વારા 400 કરોડ રૂપિયા માંગવાના સમાચારને ખોટા બતાવ્યા

રિતિકે સુજૈન દ્વારા 400 કરોડ રૂપિયા માંગવાના સમાચારને ખોટા બતાવ્યા

જ્યારે કોઈ સેલિબ્રિટી યુગલની જુદા થવાની વાત આવે છે ,ત્યારે જુદી જુદી વાત સાંભળવા મળે છે એવું જ રિતિક રોશન અને સુજૈન રોશન વિશે છે. અત્યારે ચર્ચા છે કે સુજૈને રિતિક પાસે ભરણપોષણના રૂપે 400  કરોડ રૂપિયા માંગ્યા છે. આ સમાચારને રિતિક અને સંબંધીઓ ખોટી બતાવી રહ્યા છે. 
 
 સૂત્રોનુ માનીએ તો   રિતિક અને સુજૈનના નિકટના મિત્ર જણાવે છે ક એ રિતિક અને સુજૈનના વચ્ચે ફાઈનેંસ અને પૈસાને લઈ કોઈ વાત નથી થઈ. આ વાત તેમને માટે કોઈ મહત્વ નથી ધરાવતી. રિતિક એવો માણસ છે જે તેના પરિવારને ખુશ રાખવા કાંઈ પણ કરી શકે છે . સુજૈન ઈનડિપેંડંટ છે અને તેનો પોતાનો બિઝનેસ પણ છે. આ ખબર ખોટી છે. 
 
આ સમાચરને નકારતા રિતિકે ટ્વીટ કર્યું કે "આ ખબર ખોટી છે મારા પ્રિય લોકોને નીચા બતાડવા માટે મારા ધૈર્ય ની પરીક્ષા "