ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 7 ઑગસ્ટ 2014 (11:46 IST)

સેફ અલી ખાન પાસેથી પદ્મશ્રી સન્માન પરત લેવાશે ?

. બોલીવુડ અભિનેતા સેફ અલી ખાન પાસેથી પદ્મશ્રી સન્માન પરત લેવામાં આવે એવી શક્યતા છે. મુંબઈની એક કોર્ટમાં સેફ પર આરોપ નક્કી થયા પછી તેમની પાસેથી પદ્મશ્રી પરત લેવાની માંગ પર સરકાર વિચાર વિમર્શ કરી રહી છે. 
 
સેફ પર ફેબ્રુઆરી 2012માં મુંબઈના એક રેસ્ટોરેંટમાં દક્ષિણ આફ્રિકાના એક વેપારી સાથે ઝગડો થતા મારામારીનો મામલો મુંબઈની એક કોર્ટે માર્ચ 2014માં તેમના વિરુદ્ધ આરોપ સાબિત કર્યો હતો. 
 
આરટીઆઈ કાર્યકર્તા એસસી અગ્રવાલે ગઈ 14મ માર્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સમક્ષ ફરિયાદ નોંધાવી હતી અને ખાન પાસેથી પદ્મશ્રી પરત લઈ લેવાની માંગ કરી હતી. તેમનુ કહેવુ છે કે મુંબઈની કે કોર્ટે એક રેસ્ટોરંટમાં ઝગડા બાબતે સેફ વિરુદ્ધ આરોપ સાબિત કરી લીધા છે. આવામાં તેમની પાસેથી આ પુરસ્કાર છીનવાય જાય એવી શક્યતા છે.  સેફ અલી ખાનને 2010માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.