શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

હુ સલમાનને સોરી નથી કહી શકતો - શાહરૂખ

IFM
વર્તમાન સમયે કરણ જોહરનો ટીવી પર કોફી વિધ કરણ નામનો શો ચાલી રહ્યો છે. કરણના શો મા શાહરૂખ ખાન ન આવે એ કેવી રીતે બની શકે. થોડા દિવસો પહેલા કિંગ ખાને આ શો નુ શૂટિંગ કર્યુ, જેનુ પ્રસારણ 2 જાન્યુઆરી 2011ના રોજ થશે.

શૂટિંગ સ્થળ પર હાજર સૂત્રનુ કહેવુ છે કે આ શો માં કિંગ ખાને પોતાનુ દિલ ખોલીને મુકી દીધુ. તેમણે દરેક મુદ્દા પર ખૂબ જ ભાવુક થઈને વાતચીત કરી.

કરણે સલમાન ખાન અને ફરાહ ખાનવાળી વાત પણ છંછેડી દીધી. સલમાન અને શાહરૂખના ઝગડાની વાત તો બધા જાણે જ છે. કહેવાય છે કે ફરાહ પણ વર્તમાન દિવસોમાં કિંગ ખાનથી નારાજ દેખાય રહી છે અને અક્ષય કુમારને લઈને ફિલ્મો બનાવી રહી છે.

આ મુદ્દા પર શાહરૂખે કહ્યુ કે જો સલમાન અને ફરાહ તેમનાથી નારાજ છે તો તે માટે તેઓ પોતે(શાહરૂખ) જવાબદાર છે. પરંતુ શાહરૂખ એવુ કહેવુ પણ નહી ભૂલ્યા કે તેઓ તેમને સોરી નથી કહી શકતા કે ન તો માફી માંગશે.

શાહરૂખનુ કહેવુ છે એક તેમને ન તો મિત્ર બનાવતા આવડે છે અને ન તો મૈત્રી જાળવી રાખવાનુ આવડે છે, આ વાત તેઓ જાણે છે. શાહરૂખે થોડીક એવી વાતો પણ બતાવી જેને કારણે કરણની આંખોમાં આવી ગયા.

બોલીવુડના લોકો અને કિંગ ખાનના પ્રશંસક આતુરતાથી આ શો ના ટેલીકાસ્ટ થવાની રાહ જોઈ રહ્યા છે.