નાના બાળકોનો ઉછેર કરવો ખરેખર મુશ્કેલ હોય છે. નાના બાળકો કશુ બોલી શકતા ન હોવાથી તેઓને શુ થાય છે તે સમજાતુ નથી. મોટાભાગના બાળકોને કબજિયાત રહેતી હોય છે. જે બાળકો બે-ત્રણ દિવસે મળત્યાગ કરતા હોય તેમને અનેક સમસ્યાઓ ઉભી થાય છે. આવા બાળકો પ્રત્યે બેદરકાર રહેવુ નહી અને તેમની સારવાર કરાવવી.