બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By

જો બાળકને કબજિયાત રહેતી હોય તો

નાના બાળકોનો ઉછેર કરવો ખરેખર મુશ્કેલ હોય છે. નાના બાળકો કશુ બોલી શકતા ન હોવાથી તેઓને શુ થાય છે તે સમજાતુ નથી. મોટાભાગના બાળકોને કબજિયાત રહેતી હોય છે. જે બાળકો બે-ત્રણ દિવસે મળત્યાગ કરતા હોય તેમને અનેક સમસ્યાઓ ઉભી થાય છે. આવા બાળકો પ્રત્યે બેદરકાર રહેવુ નહી અને તેમની સારવાર કરાવવી. 

કબજિયાત થવાના કારણો

- પેટમાં દુ:ખાવાને કારણે કબજિયાત થાય
- મળ કઠણ આવવાથી ગૂર્દામાંથી લોહી નીકળે
- બોટલથી દૂધ પીતા બાળકોને કબજિયાત વધુ રહે છે
- જે બાળકો બ્રેડ, ચોકલેટ્સ, મીઠાઈ વધુ ખાતા હોય તેમને કબજિયાત રહે છે
- જે બાળકો રમવાની ધૂનમાં કે આળસને કારણે મળત્યાગ રોકે છે તેમને કબજિયાત રહે છે

ઉપાયો

- બાળકને પ્રવાહી પદાર્થો વધુ આપો, જે બાળક સ્તનપાન કરતુ હોય તેને જલ્દી જલ્દી સ્તનપાન કરાવો
- એવા પદાર્થો આપો જેમા અન્નનુ પ્રમાણ વધુ હોય
- શિશુને શારીરિક કસરત થાય તેવી રમતો રમવા પ્રોત્સાહિત કરો, જેવી કે સાઈકલ ચલાવવી, રમવુ, દોડવુ વગેરે.
- બાળકને મળત્યાગ માટે પ્રોત્સાહિત કરો.
- બાળકને રેશાવાળા પદાર્થ વધુ આપો