બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2016 (14:17 IST)

રવિન્દ્ર જડેજા આવતીકાલે રાજકોટની એંજિનિયર રિવાબા સોલંકી સાથે સગાઈ કરશે

રાજકોટના ધરખમ ગજાના ક્રિકેટર ચેતેશ્વર પૂજારા પછી હવે જામનગરના ધૂરંધર ક્રિકેટ ખેલાડી રવિન્‍દ્રસિંહ જાડેજા આવતીકાલે શુક્રવારે સવારે રાજકોટ ખાતે પોતાના જ રેસ્ટોરેંટ ‘Jaddu's Food Field' ખાતે રિવાબા હરદેવસિંહ સોલંકી સાથે સગાઇના બંધનથી જોડાઇ રહેલ છે. બન્ને પરિવારોમાં ભારે ઉત્‍સાહ પ્રવર્તે છે.
- જડેજાએ આ રેસ્ટોરેંટ ડિસેમ્બર 2012માં શરૂ કર્યુ હતુ 
-  રિવાબાના માતુશ્રી પ્રફુલ્લાબા સોલંકી રાજકોટ રેલ્‍વેમાં ફરજ બજાવે છે અને પિતાશ્રી હરદેવસિંહ જાડેજા બિઝનેશમેન છે.
- રીવાબાએ રાજકોટની આત્‍મીય કોલેજમાંથી મિકેનીકલ એન્‍જીનીયરીંગ કરેલ છે અને 3  વર્ષથી દિલ્‍હી ખાતે રહી આઇએએસનો અભ્‍યાસ કરે છે. 
- તેમનુ સાસણમાં ફાર્મ હાઉસ છે. નવલખી પોર્ટ પર બ્રિઝ વે પણ છે. 
- રીવાના કાકા હરીશ સિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના નેતા છે. 
 - 3 દિવસ પહેલા જ બન્ને પરિવાર વચ્‍ચે મીટીંગ થયાનું અને પ્રથમ મીટીંગમાં જ રિવાબા અને રવિન્‍દ્રસિંહ એકબીજાને પસંદઆવી ગયેલ તથા પરિવારોએ પણ મંજૂર રાખેલ તેમ જાણવા મળે છે.
- ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી નિરંજન શાહને પણ એંગેજમેંટ સેરેમનીનુ ઈનવિટેશન મળ્યુ છે. 
- જડેજાના માતા-પિતા ઈચ્છતા હતા કે તે આર્મીમાં જાય પણ તેઓ ક્રિકેટર બન્યા. જડેજા જ્યારે 17 વર્ષના હતા ત્યારે જ તેમના માતાનું નિધન થઈ ગયુ હતુ. 
- આ પહેલા નવેમ્બર 2013માં પણ એવા સમાચાર આવ્યા હતા કે જડેજા ચેતના નામની યુવતી સાથે સગાઈ કરી ચુક્યા છે. પણ તેમણે ક્યારેય આ વાત કન્ફર્મ કરી નથી. 
- જડેજા 16 ટેસ્ટ અને 126 વનડે રમ્યા છે.