મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 17 ઑક્ટોબર 2014 (14:30 IST)

જીત મેળવવા મેદાન પર ઉતરીશુ - વિરાટ

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યુ છે કે તે અને તેમની ટીમ શુક્રવારે વેસ્ટઈંડિઝ વિરુદ્ધ થનારી ચોથી વનડે માટે તૈયાર છે અને જીતની આ પ્રક્રિયા કાયમ રાખશે. 
 
મેચ માટે ગુરૂવારે ઘર્મશાળા પહોચ્યા પછી વિરાટે સંવાદદાતાઓને કહ્યુ કે અમે હરિફાઈ માટે માનસિક રૂપે તૈયાર છીએ. અહીની ઋતુ ઠંડી છે. પણ અમે અહી પહેલા પણ અનેક મેચ રમી છે. અહીની પિચ બેટિંગ અને બોલિંગ માટે અનુકૂળ છે પણ અમે અત્યાર સુધી આ નિર્ણય નથી કર્યો કે ટીમ ટોસ જીત્યા પછી અમે બેટિંગ કરીશુ કે બોલિંગ. આનો નિર્ણય અમે મેચ પહેલા કરીશુ. 
 
દિલ્હીમાં રમાયેલ બીજી વનડે મેચ દરમિયાન પોતાની હાફસેંચુરી વિશે પુછતા વિરાટે કહ્યુ કે આ મહત્વપુર્ણ છે કે ખેલાડી દેશના ર્કિકેટ પ્રેમીઓની આશાઓ પર ખરો ઉતરે. પણ લોકોએ એ પણ સમજવુ જોઈએ કે અમે પણ માણસ છીએ મશીન નથી. જો અમે એક મેચમાં સારુ પ્રર્દશન કરી રહ્યા છે તો શક્ય છે કે બીજી મેચમાં તેનાથી ઊંઘુ થાય. 
        
ભારતીય ટીમના નિર્દેશક રવિ શાસ્ત્રીના વખાણ કરતા વિરાટે કહ્યુ કે તે પોતાના અનુભવોને વહેંચીને ખેલાડીઓમાં ઉત્સાહ ભરી રહી છે. કોઈ ટીમને નષ્ટ કરવી સહેલી છે. જ્યારે કે ટીમનુ નિર્માણ ખૂબ જ મુશ્કેલ છે જે કે તેઓ કરી રહ્યા છે.