મોદીએ કહ્યુ કે ટ્વેંટી20 ટૂર્નામેંટના આયોજન અંગે વિશ્વાસ વ્યક્ત કરતા આજે જણાવ્યુ કે બધી જ સંભાવનાઓ અંગે ઘણા કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યા છે, માત્ર તેના પર સરકારની પરવાનગની મહોર લાગે તેટલીવાર છે.
મોદીએ બીસીસીઆઈ મુખ્યાલયમાં પત્રકારોને જણાવ્યુ કે સરકાર જો કઈ બદલાવ કરવા માંગતી હોય તો અમે તેના માટે તૈયાર છીએ. મોદીએ કહ્યુ કે અમારી પાસે વિકલ્પો છે પરંતુ જ્યારે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે ત્યારે અમે અમારા કાર્યક્રમની જાહેરાત કરીશું.