Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 23 ડિસેમ્બર 2008 (20:44 IST)
આઈપીએલ ફ્રેચાઈસી નહી વેચે
બેંગલુરૂ રોયલ ચેલેંજર્સ ટીમના માલિક વિજય માલ્યાએ એ વાતનું ખંડન કર્યુ હતુ કે તેઓ તેમની ટીમ અને તેમના ખેલાડીઓ વેચી રહ્યા છે.
તેમણે કહ્યુ કે મારા બેંગલુરૂ સ્થિત કાર્યાલયથી કરવામાં આવેલી જાહેરાતનો ખોટો અર્થ લેવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે તેઓ ટીમના સંતુલન માટે ખેલાડીઓની અદલાબદલી કરી શકે છે,પરંતુ તેઓ તેમને વેચવાની વાત તદ્દન ખોટી છે.