શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 29 માર્ચ 2014 (12:12 IST)

ડ્રેસિંગ રૂમના ખુશનુમા વાતાવરણને કારણે અમે જીતી રહ્યા છીએ - ધોની

P.R
દેશમાં આઈપીએલ વિવાદને લઈને ચાલતા ઘટનાક્રમ છતા ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની શાંત જોવા મળ્યા. તેમણે 'ડ્રેસિંગ રૂમના સારા વાતાવરણ' ને ટીમની સફળતાનુ શ્રેય આપ્યુ અને કહ્યુ કે બધા એક બીજાની સફળતા માટે ખુશ છે.

કપ્તાને જોકે સ્પષ્ટ કર્યુ કે તેઓ ટી 20 વિશ્વકપ ઉપરાંત કોઈ અન્ય પ્રશ્નોના જવાબ નહી આપે, પણ કહ્યુ કે ટીમની સફળતાની ચાવી ટીમના સભ્યો પર આધારિત છે.

ધોનીએ બાંગ્લાદેશ પર જીત નોંધાવ્યા બાદ કહ્યુ, 'અમારા ડ્રેસિંગ રૂમનુ વાતાવરણ ખુશનુમા છે. ખેલાડી એકબીજાની સફળતાનો આનંદ ઉઠાવી રહ્યા છે અને એક બીજાને સારા પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. તમારી આસપાસ અનેક વસ્તુઓ હોય છે પણ તમારે તમારા કામ પર ધ્યાન આપવુ જોઈએ.

મીડિયા પ્રબંધકે કહ્યુ હતુ કે ધોની ત્યારે જ આવશે જ્યારે ભારત કોઈ મેચ હારી જશે, પણ પહેલાથી નક્કી કરેલ સંવાદદાતા સંમેલનમાં પહોંચ્યા. તેઓ એ પ્રશ્નને ટાળી ગયા કે શુ કપ્તાની છોડવા સંબંધી ચર્ચાઓ સાચી છે કે નહી.

આ પહેલા મેચ પછી ધોનીએ કહ્યુ હતુ કે તેઓ મેદાન પર થોડો સમય વીતાવવા માંગતા હતા તેથી ચોથા સ્થાન પર બેટિંગ કરવા ગયા.