દિવાળીના દિવસે કરો આ યંત્રોની પૂજા અને થઈ જાવ માલામાલ
તંત્ર શાસ્ત્ર મુજબ યંત્રોના માધ્યમથી દરેક મનોકામના પૂરી કરી શકાય છે. કેટલાક યંત્રો એવા પણ હોય છે જેને જો વિશેષ પ્રસંગ પર સિદ્ધ કરી લેવામાં આવે તો સાધક માલામાલ થઈ જાય છે. તેની પાસે ધનની ક્યારેય કમી આવતી નથી. ધનતેરસ અને દિવાળી આવો જ એક અવસર છે. આ વખતે ધનતેરસ 1 નવેમ્બર, શુક્રવાર અને દિવાળી 3 નવેમ્બર રવિવારે છે. જો તમે પણ માલામાલ થવા માંગતા હોય તો નીચે લખેલા યંત્રોની પૂજા આ બંને દિવસે કરો. પૂજન પછી આ યંત્રોને તમારી તિજોરીમાં કે પછી જ્યા પૈસા ઘરેણા મુકતા હોય ત્યા મુકી દો. કુબેર યંત્ર - સુવર્ણ લાભ, રત્ન લાભ દટાયેલા ધનનો લાભ અને પૈતૃક સંપત્તિનો લાભ ઈચ્છતા લોકો માટે કુબેર યંત્ર એકદમ સફળતાદાયક છે. આ યંત્રના પ્રભાવથી અનેક માર્ગોથી ધન આવવા માંડે છે અને ધન સંચય પણ થાય છે. બિલ્વ વૃક્ષની નીચે બેસીને આ યંત્રને સામે મુકીને કુબેર મંત્રનો શુદ્ધતાથી જાપ કરવાથી આ યંત્ર સિદ્ધ થાય છે અને યંત્ર સિદ્ધ થયા બાદ તેને ગલ્લા કે તિજોરીમાં સ્થાપિત કરવામાં આવે છે. તેની સ્થાપના પછી દરિદ્રતાનો નાથ થઈને , પુષ્કળ ધન અને યશની પ્રાપ્તિ થાય છે. મંત્ર - ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન્ય ધન્યાધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિ મેં દેહિત દાપય સ્વાહા
મહાલક્ષ્મી યંત્ર - આ યંત્ર નિરંતર ધન વૃદ્ધિ માટે વધુ ઉપયોગી માનવામાં આવે છે. ઓછા સમયમાં વધુ ધન પ્રાપ્તિ માટે આ યંત્ર અત્યંત ઉપયોગી છે. આ યંત્રનો પ્રયોગ દરિદ્રતાનો નાશ કરે છે. આ સુવર્ણ વર્ષા કરનારો યંત્ર કહેવામાં આવે છે. આની કૃપાથી ગરીબ વ્યક્તિ પણ એકાએક અમીર બની જાય છે.
'ૐ શ્રીં કલીં ઐ લક્ષ્મી કમલ ધારિણી હંસ સ્વાહા