શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

પુષ્ય નક્ષત્ર સર્વાર્થસિદ્ધિના શુભ યોગ

દિવાળીના પહેલા પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલ ખરીદીનું વિશેષ મહત્વ છે. સંયોગથી આ વખતે પુષ્ય નક્ષત્ર બે દિવસ 2 નવેમ્બર અન 3 નવેમ્બરના રોજ છે. પુષ્યની શરૂઆત સોમ પુષ્યમાં સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે થશે. જ્યારે કે બીજા દિવસે શુભ યોગ 3 નવેમ્બરના રોજ થશે. 

પંડિતો મુજબ 2 નવેમ્બરના રોજ સાંજે 4:59ના વાગ્યા સુધી પુર્નવસુ નક્ષત્ર રહેશે. ત્યારબાદ પુષ્ય નક્ષત્ર શરૂ થશે જે 3 નવેમ્બરના રોજ સાંજે 5.52 સુધી રહેશે. આ રીતે સોમ પુષ્ય અને મંગળ પુષ્યમાં નક્ષત્ર રહેશે. પંડિતના જણાવ્યા મુજબ જમીન, મકાન, સોના-ચાંદી, વાહન, ઈલેક્ટ્રીક સામાન સહિત દરેક પ્રકારની વસ્તુની ખરીદી સર્વશ્રેષ્ઠ છે.

પુષ્ય નક્ષત્રોનો રાજા છે. આમા કરવામાં આવેલ સર્વ કાર્ય સ્થિર રહે છે. આ નક્ષત્રનો સ્વામી ગુરૂ છે. પરંતુ કેટલાક ગ્રંથોમાં 'શનિ'ને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. ગુરૂ શુભત્વનો કારક છે અને શનિ સ્થિરતાનો. આ વખતે શનિ પોતાની ઉચ્ચ રાશિ તુલામાં છે. હવે પુષ્યની ચમક સમૃદ્ધિ અએન વૈભવ લઈને આવશે. તેથી જમીન, મકાન, વાહન, સોના-ચાંદી સહિત દરેક પ્રકારની ખરીદી તેમજ શુભ કાર્યો સ્થિર થઈને શુભત્વ પ્રદાન કરે છે. સર્વાર્થ સિદ્ધિ યોગ દરેક પ્રકારની સિદ્ધિને આપનારો છે.

નવા કાર્ય માટે શ્રેષ્ઠ દિવસ : પંડિતોના જણાવ્યા મુજબ 2 નવેમ્બરના રોજ પુષ્ય નક્ષત્રમાં કોઈપણ શુભ કાર્યની શરૂઆત, મંત્ર સિદ્ધિ સાથે ગૃહ પ્રવેશ, રિયલ એસ્ટેટમાં રોકાણ, દુકાન, શોરૂમના ઉદ્દઘાટન વગેરે શુભકામો માટે સર્વશ્રેષ્ઠ છે. બીજી બાજુ વેપારીઓ આ દિવસે ચોપડાં ખરીદવાની પરંપરા પૂર્ણ કરશે.