તોડફોડ વિના વાસ્તુદોષથી છુટકારો મેળવો- 1
તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારની તોડફોડ કર્યા વિના નીચે દર્શાવેલા ઉપાયો વડે તમે વાસ્તુદોષથી છુટકારો મેળવી શકો છો. -
પોતાની પસંદગીને અનુસાર સુગંધિત ફૂલોનો ગુલદસ્તો હંમેશા પોતાના માથાની તરફના ખુણા પાસે મુકો. -
સુવાના રૂમની અંદર એઠા વાસણ ન રાખવા, આનાથી પત્નીનું સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે અને ધનની ઉણપ પણ થાય છે. -
પરિવારનો કોઈ પણ સભ્ય માનસિક તણાવને લીધે પીડાતો હોય તો કાળા મૃગની ચામડીને પાથરીને સુવાથી લાભ થાય છે. કોઈ પણ વ્યક્તિને ખરાબ સ્વપ્નો આવતાં હોય તો ગંગાજળ માથા પાસે રાખીને સુવું. -
પરિવારમાં કોઈ રોગગ્રસ્ત હોય તો ચાંદીના વાસણમાં શુદ્ધ કેસરયુક્ત ગંગાજળ ભરીને ઓશિકા પાસે મુકી દેવું. -
જો કોઈ વ્યક્તિ માનસિક તણાવને લીધે હેરાન હોય તો રૂમમાં શુદ્ધ ઘીનો દિવો પ્રગટાવીને રાખો અને સાથે ગુલાબની અગરબત્તી પણ સળગાવો. -
સુવાના રૂમમાં ક્યારેય પણ સાવરણી ન રાખવી. જો કોઈ કષ્ટ પડી રહ્યું હોય તો તકીયાની નીચે લાલ ચંદન મુકીને સુઈ જવું. -
ગુપ્ત શત્રુ હેરાન કરી રહ્યાં હોય તો લાલ ચાંદીના સાપ બનાવીને તેમની આંખોમાં સુરમો લગાવી તેમને પગની નીચે રાખીને સુવુ જોઈએ.