બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ સલાહ
Written By વેબ દુનિયા|

તોડફોડ વિના વાસ્તુદોષથી છુટકારો મેળવો- 2

N.D
- દુકાનમાં મન ન લાગતું હોય તો શ્વેત ગણપતિની મૂર્તિની વિધિપૂર્વક પૂજા કરીને મુખ્ય દ્વારની આગળ અને પાછળ સ્થાપિત કરવી.

- જો દુકાનનો મુખ્ય દ્વાર અશુભ હોય અથવા દક્ષિણ પશ્ચિમ કે દક્ષિણ દિશામાં હોય તો 'યમકીલક યંત્ર' ની પૂજા કરીને સ્થાપના કરવી. જો સરકારી કર્મચારી દ્વારા હેરાન થતાં હોય તો સુર્ય યંત્રની વિધિપૂર્વક પૂજા કરીને દુકાનમાં તેની સ્થાપના કરવી.

- સીડીઓની નીચે બેસીને મહત્વપુર્ણ કાર્ય ન કરો.

- દુકાન, ફેક્ટરી, કાર્યાલય વગેરે જગ્યાએ વર્ષમાં એક વખત પૂજા અવશ્ય કરાવો.

- જો દુકાનમાં ચોરી થતી હોય તો દુકાનના ઓટલાની પાસે પૂજા કરીને મંગળ યંત્ર સ્થાપિત કરો.

- જ્યારથી તમે મકાન લીધું હોય ત્યારથી ભાગ્ય સાથ ન આપી રહ્યું હોય અને લાગતું હોય કે જુના મકાનમાં બધુ જ સારૂ હતું અને અત્યારે વધારે મુશ્કેલીઓ છે તો ઘરમાં પીળા રંગના પડદા લગાવો.

- જો બાળકો આજ્ઞાકારી ન હોય, સંતાન સુખ અને સંતાનનો સહયોગ ઈચ્છતાં હોય તો તેને માટે સુર્ય યંત્ર કે તાંબુ ત્યાં મુકો જ્યાં મકાનનો મુખ્ય પ્રવેશ દ્વાર હોય. પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને મુકો.

સાભાર - ડાયમંડ કોમિક્સ પ્રકાશન લિ.