શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : બુધવાર, 14 સપ્ટેમ્બર 2016 (14:17 IST)

શ્રાદ્ધ પક્ષમાં મળશે પિતરોનો આશીષ

પિતરોના પૂજનનો પર્વ સોળ શ્રાદ્ધ આ વખતે શુભ સંયોગ લઈને આવ્યુ  છે. પૂજનનું આ પર્વ 9 થી 24 સપ્ટેમ્બર સુધી રહેશે. આ દરમ્યાન તેમના આશીર્વાદ મળશે. પૂજનથી પિતૃ દોષથી મુક્તિ મળશે . 16માંથી 5 દિવસ વિશેષ શુભ ફળદાયી સંયોગ બનશે. 
 
જ્યોતિષાચાર્યના મતે પિતૃ પક્ષના સોળ દિવસોમાં પાંચ શુભ સંયોગ સર્વાર્થ  સિદ્ધિ ,અમૃત સિદ્ધિ,અને રવિ-સોમ પુષ્ય નક્ષત્રના રહેશે.11 સપ્ટેમ્બરના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સૂર્યોદયથી શરૂ થઈને બીજા દિવસે 12.20 સુધી રહેશે.આ જ યોગ 15 થી 18 સપ્ટેમ્બરે પણ બનશે. 19 સપ્ટેમ્બરે  પુષ્ય નક્ષત્ર રહેશે. 
 
ક્યાં દિવસે કયું શ્રાદ્ધ 
 
પંડિતો મુજબ જો પૂર્વજોના દેહવસાનની તિથિ ખબર ન હોય તો કેટલીક  તિથિ નિશ્ચિત કરેલ છે જેમાં તેમના નામના શ્રાદ્ધ કરી શકાય છે. 
 
પ્રતિપદા શ્રાદ્ધ-1સપ્ટેમ્બરે  પ્રતિપદા શ્રાદ્ધ છે. આ તિથિ પર નાના-નાનીના પરિવારમાં કોઈ શ્રાદ્ધ કરવાવાળા ન હોય અને મૃત્યુની તિથિ જ્ઞાત ન હોય તો તેમનું  શ્રાદ્ધ કરી શકાય  છે.  
 
પંચમી- 13 તારીખે પંચમી કે કુંવારા શ્રાદ્ધ રહેશે. આ દિવસે એ લોકોનું શ્રાદ્ધ કરાય છે જેમનુ મોત અપરિણીત સ્થિતિમાં થયુ  છે. 
 
નવમી- 17 સિતંબરે નવમીનું  શ્રાદ્ધ છે.એને માતૃ નવમી પણ કહેવાય છે. આ તિથિ માતાના શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ માનવામાં આવે  છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી કુળના બધા વડીલ મહિલાઓનું શ્રાદ્ધ થઈ જાય છે. 
 
 
એકાદશી શ્રાદ્ધ- 19-20 સપ્ટેમ્બરે એકાદશી અને દ્વાદશી તિથિ પર તે લોકોનો શ્રાદ્ધ કરવાનું  વિધાન છે,જે લોકોએ સન્યાસ લીધેલ હોય.
 
ચતુર્દશી શ્રાદ્ધ - 22 સપ્ટેમ્બરે  ચતુર્દશી પર તે પરિવારજનોનું શ્રાદ્ધ કરાય છે જેનું  અકાળ મૃત્યુ થઈ ગયુ હોય. . 
 
સર્વપિતૃ અમાવસ્યા- સર્વપિતૃ અમાવસ્યા 24 સપ્ટેમ્બરના રોજ શ્રાદ્ધ કરવાથી જાણતા અજાણતા રહી ગયેલા બધા પિતૃઓનું શ્રાદ્ધ થઈ જાય છે.   .