શ્રાદ્ધ પક્ષમાં મળશે પિતરોનો આશીષ
પિતરોના પૂજનનો પર્વ સોળ શ્રાદ્ધ આ વખતે શુભ સંયોગ લઈને આવ્યુ છે. પૂજનનું આ પર્વ 9 થી 24 સપ્ટેમ્બર સુધી રહેશે. આ દરમ્યાન તેમના આશીર્વાદ મળશે. પૂજનથી પિતૃ દોષથી મુક્તિ મળશે . 16માંથી 5 દિવસ વિશેષ શુભ ફળદાયી સંયોગ બનશે.
જ્યોતિષાચાર્યના મતે પિતૃ પક્ષના સોળ દિવસોમાં પાંચ શુભ સંયોગ સર્વાર્થ સિદ્ધિ ,અમૃત સિદ્ધિ,અને રવિ-સોમ પુષ્ય નક્ષત્રના રહેશે.11 સપ્ટેમ્બરના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સૂર્યોદયથી શરૂ થઈને બીજા દિવસે 12.20 સુધી રહેશે.આ જ યોગ 15 થી 18 સપ્ટેમ્બરે પણ બનશે. 19 સપ્ટેમ્બરે પુષ્ય નક્ષત્ર રહેશે.
ક્યાં દિવસે કયું શ્રાદ્ધ
પંડિતો મુજબ જો પૂર્વજોના દેહવસાનની તિથિ ખબર ન હોય તો કેટલીક તિથિ નિશ્ચિત કરેલ છે જેમાં તેમના નામના શ્રાદ્ધ કરી શકાય છે.
પ્રતિપદા શ્રાદ્ધ-10 સપ્ટેમ્બરે પ્રતિપદા શ્રાદ્ધ છે. આ તિથિ પર નાના-નાનીના પરિવારમાં કોઈ શ્રાદ્ધ કરવાવાળા ન હોય અને મૃત્યુની તિથિ જ્ઞાત ન હોય તો તેમનું શ્રાદ્ધ કરી શકાય છે.
પંચમી- 13 તારીખે પંચમી કે કુંવારા શ્રાદ્ધ રહેશે. આ દિવસે એ લોકોનું શ્રાદ્ધ કરાય છે જેમનુ મોત અપરિણીત સ્થિતિમાં થયુ છે.
નવમી- 17 સિતંબરે નવમીનું શ્રાદ્ધ છે.એને માતૃ નવમી પણ કહેવાય છે. આ તિથિ માતાના શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી કુળના બધા વડીલ મહિલાઓનું શ્રાદ્ધ થઈ જાય છે.
એકાદશી શ્રાદ્ધ- 19-20 સપ્ટેમ્બરે એકાદશી અને દ્વાદશી તિથિ પર તે લોકોનો શ્રાદ્ધ કરવાનું વિધાન છે,જે લોકોએ સન્યાસ લીધેલ હોય.
ચતુર્દશી શ્રાદ્ધ - 22 સપ્ટેમ્બરે ચતુર્દશી પર તે પરિવારજનોનું શ્રાદ્ધ કરાય છે જેનું અકાળ મૃત્યુ થઈ ગયુ હોય. .
સર્વપિતૃ અમાવસ્યા- સર્વપિતૃ અમાવસ્યા 24 સપ્ટેમ્બરના રોજ શ્રાદ્ધ કરવાથી જાણતા અજાણતા રહી ગયેલા બધા પિતૃઓનું શ્રાદ્ધ થઈ જાય છે. .