ગણેશ ચતુર્થી 2015 મુહુર્ત - ગણેશ સ્થાપના શુભ મુહુર્ત
ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે.
ગણેશ ચતુર્થી પૂજા મુહૂર્ત (Ganesh Chaturthi Puja Muhurat): - 17 સપ્ટેમ્બરના રોજ મધ્યાહ્ન પૂજાનો સમય બપોરે 11:47 મિનિટથી લઈને 02 વાગીને 46 મિનિટ સુધીનો છે. આ ઉપરાંતના અન્ય મુહુર્ત નીચે પ્રમાણે છે.
* શુભ - 6.15 થી 7.45,
* ચંચલ - 10.50 થી 12.21,
*લાભ - 12.21 થી 13.53,
* અમૃત - 13.53 થી 15.25
* ફરીથી શુભ - 16.56 થી 18.28 સુધી.
* 18.28 થી 19.56 સુધી અમૃત છે.
ગણેશ ચતુર્થી પૂજા વિધિ (Ganesh Chaturthi Puja Vidhi in Gujarati): નારદ પુરાણ મુજબ ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીના રોજ વિનાયક વ્રત કરવુ જોઈએ. આ વ્રત (Ganesh Chaturthi Vrat Vidhi)કરવાના કેટલાક નિયમો છે જે નિમ્ન પ્રકારના છે.
- આ વ્રતમાં આવાહ્ન, પ્રતિષ્ઠાપન, આસન સમર્પણ, દીપ દર્શન વગેરે દ્વારા ગણેશ પૂજા કરવી જોઈએ.
- પૂજામાં દુર્વાનો સમાવેશ જરૂર કરો.
- ગણેશજીના વિવિધ નામો સાથે તેમની આરાધના કરવી જોઈએ.
- નૈવૈદ્યના રૂપમાં પાંચ લાડુ મુકો
- આ દિવએ રાત્રે ચન્દ્રમાં તરફ ન જોવુ જોઈએ. એવુ માનવામાં આવે છે કે તેને જોવાથી જૂઠ્ઠાપણાનાં આરોપોનો સામમો કરવો પડે છે.
- જો રાતના સમયે ચન્દ્રમાં દેખાય જાય તો તેની શાંતિ માટે પૂજા કરાવવી જોઈએ.