શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 16 જુલાઈ 2020 (10:07 IST)

Gujarati Beauty Tips- ગ્લોઈંગ સ્કિન માટે દહીં સૌથી સારો ઉપાય

ખૂબસૂરતી નિખારવાનો ઘરેળૂ ઉપાય- ચમકદાર સ્કિન માટે દહીં સૌથી સારો ઉપાય છે. દહીંમાં રહેલા જિંક ,વિટામિન ઈ અને ફાસ્ફોરસ સ્કિનને ચમકદાર બનાવે છે. દહીંમાં ચણાનો લોટ મિક્સ કરી લગાવવાથી ચેહરા ચમકદાર જોવાશે. ચેહરે પર દહીંની મસાજ કરવથી સ્કિન મુલાયમ થાય છે. 
 
ડ્રેંડ્રફ દૂર કરે- મેંહદીમાં દહી મિકસ કરી વાળના મૂળમાં લગાવવાથી ડેંડ્રફ મટવા લાગે છે. દહીં વાળનો પ્રાકૃતિક કંડીશનરનો કામ કરે છે. દહીને  કોઈની સાથે  મિક્સ મિક્સ કર્યા વગર પણ લગાવી શકે છે. 
 
હાડકા અને દાંતને મજબૂત કરે- કૈલ્શિયમ અને ફાસ્ફોરસ હાડકાઓને મજબૂત કરવા માટે ખૂબ જરૂરી લવણ છે અને દહીંમાં આ ભરપૂર માત્રામાં હોય છે. ગઠિયાના રોગથી પરેશાન લોકો માટે દહી સારો ગણાય છે. 
 
વજન ઓછું કરે - દહીંમાં રહેલા કૈલ્શિયમ શરીર પર વધારે પડતું ફેટ એકત્ર થતું નહી. શરીર પર એક્સ્ટ્રા ફેટ ઘણા રીતની સમસ્યાઓને સાથે લાવે છે. જેમ કે હાઈ-બ્લડપ્રેશર અને જાણાપણ . એક શોધ મુજબ દરરોજ 5 ચમચી દહીં પેટ ઓછું કરવામાં મદદ કરે છે. 
 
હાઈ ન્યુટ્રીશન - વિટામિન એ , ડી અને બી-12થી યુક્ત દહીંમાં 100 ગ્રામ ફેટ અને 98 ગ્રામ કેલરી છે. આશરે બધા લવણ દહીંમાં હોય છે. દહીમાં ભરપૂર માત્રામાં કૈલ્શિયમ હોય છે જે હાડકાઓને મજબૂત કરે છે. 
 
પાચન માટે સારું- કોઈ પણ પ્રકારના ભોજનને દહીંથી પચાવી શકાય છે કારણ કે દહીં ભોજન પ્રણાલીને દુરૂસ્ત જાણવી રાખે છે . દરરોજ એક વાટકી દહી તમને એસિડીટીથી પણ દૂર રાખે છે જેણે  આ પરેશાની રહે છે તેણે દિવસ અને રાત્રિના ભોજનમાં દહીને જરૂર શામેળ કરવું જોઈએ. દહીંથી પેટની ઘણી નધી પરેશાનીઓને દૂર કરી શકાય છે.