શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 10 નવેમ્બર 2017 (15:35 IST)

ચેહરા પર રહેલ રેશેજથી છુટકારો અપાવશે આમલી અને પ્રોબ્લેમ્સ પણ થશે ઓછી..

ભારતીય ખાવામાં ખાટી-મીઠી સ્વાદમાં જુદી છે આમલી. આ ભોજનને ચટપટો જ નહી પણ સ્વાદિષ્ટ પણ બનાવી નાખે છે. તેની સાથે સ્વાસ્થય લાભ પણ છે અને બ્યૂટી બેનિફિટસની વાત કરો તો એ પણ ખૂબ છે. આજે અમે તમને આમલીથી થનાર સૌંદર્ય લાભાઅ વિશે જણાવીશ જે કોઈને ખબર નહી હશે... 
રેશેજ હટાવીએ
તડકા અને પ્રદૂષણના કારણે સ્કિન પર રેશેજ જોવા લાગે છે. જેને આમલીની મદદથી હટાવી શકાય છે . 
ઉપયોગ કરવાનો તરીકો 
100 મિલી પાણીમાં 30 ગ્રામ આમલી ગર્મ કરો. પછી તેમાં અડધી ચમચી હળદર મિક્સ કરી અને ચેહરા પર લગાવો. અડધા કલાક પછી ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો. 
 
ડાર્ક સર્કલ 
ડાર્ક સર્કલની સમસ્યા ખૂબ મહિલાઓની હોય છે. તેનાથી છુટકારો મેળવવું ખૂબ મુશ્કેલ છે પણ અશકય નથી. જો તમે વગર મેહનત કર્યા ડાર્ક સર્કલસથી છુટકારો મેલવવા ઈચ્છો છો તો આમલીનો ઉપયોગ કરો. 

ઉપયોગ કરવાનો ઉપાય 
આમલીને પાણીમાં મિક્સ કરી પલાળી દો. તેમાં મધ એક ચપટી હળદર મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ડાર્ક સર્કલ્સ પર લગાવો. કેટલાક દિવસોમાં ડાર્ક સર્કલ્સ રિમૂવ થશે. 
ડાઘ-ધબ્બા હટાવો
આમલી ઘાને જલ્દી ભરવાનો કામ કરે છે. તેનાથી ચેહરા પર રહેલ ડાઘ-પણ ઓછા હોય છે. 
 

 
ઉપયોગ કરવાનો તરીકો 
જો ચેહરા પર કોઈ એલર્જી કે ડાઘ નજર આવે તો આમલી અની લીમડાને મિક્સ કરી પેસ્ટ બનાવી લો. પછી ચેહરા પર લગાવો. 
ખરતા વાળ ઓછા 
આમલી વાળને વિટામિન C આપે છે જેનાથી વાળનો ખરવું ઓછું હોય છે. 
 
ઉપયોગ કરવાનો તરીકો 
રાત્રે આમલીને પાણીમાં પલાળી રાખો. પછી સવારે ઉઠીને આમલીના પલ્પને વાળમાં લગાવો અને થોડી વાર પછી તેને પાણીથી ધોઈ લો. આવું અઠવાડિયામાં બે વાર કરો. વાળનો ખરવું ઓછું થશે.