મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 22 જુલાઈ 2014 (16:34 IST)

ખુશ રહેવા માટે આ કરો

ખુશ રહેવા માટે આ કરો

દરેક વ્યક્તિ ખુશ રહેવા માંગે છે.ખુશ રહેવાથી ઘણા રોગો દૂર રહે છે.તમે તણાવ લેશો તો તમારા રોગો પણ વધી જશે. જો તમે ખુશ રહેવા માટે સક્ષમ નથી અને હંમેશા  તણાવમાં રહો છો તો અમે અહી બતાવી રહ્યા છે તમને ખુશ રહેવાના ઉપાય .  
હકારાત્મક વિચારો રાખો 
 
તમારા જીવનમાં કોઈ પણ બાબતે  કેટલી પણ મોટી મુશ્કેલી આવે  પણ તમે  હમેશા પોઝિટિવ વિચાર રાખશો તો .આનાથી  તમારા જીવનમાં હકારાત્મક આવશે અને તમને મુશ્કેલીઓ સામે લડવાની  હિંમત મળશે. 
 
તમારા મનપસંદ સ્થળ પર જાવ 
 
તમે તમારા માટે થોડો સમય કાઢી એવી જ્ગ્યા પર જાઓ અને જ્યાં તમને  રાહત મળે. આ જ્ગ્યાએ જઈ તમે  માનસિક શાંતિ અને ખુશી અનુભવશો. 
 
અન્ય લોકો સાથે ખુદની તુલના ન કરો. 
 
એવુ  ન વિચારો કે  બીજો કેવો છે અથવા કે એ  તમારા કરતા સારો છે  આવા વિચારોથી  તમારામાં  હીન ભાવના  આવશે. તમે માત્ર તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરો અને પોતાને વધુ સારી રીતે બનાવવાની દિશામાં કામ કરો.અન્ય લોકો સાથે તમારી જાતની  તુલના ન કરવી . 
 
તેમના સિદ્ધિઓની ઉજવણી 
 
તમારી  દરેક સિદ્ધિઓને સેલિબ્રેટ કરો, પછી ભલે એ નાની હોય કે મોટી , આવુ કરવાથી તમે ખુદને પ્રોત્સાહિત કરશો અને  તમે વધુ  આગળ વધી શકશો. 
 
ફ્રેન્ક ટોક 
 
જો તમારા મનમાં છે તેને સ્પષ્ટરૂપે કહી દો. ઘણી વખત તમે તમારા મનની વાત કોઈને કહી નથી શકતા . જેથી તમને પછી ખેદ થાય છે . માટે કોઈ વાત મનમાં  ન રાખવી .