સરકારે આપી નવા મોબાઈલ કનેક્શન માટે આધાર e-KYCની મંજુરી
સરકારે નવા મોબાઈલ કનેક્શન માટે આધાર ઈ-કેવાઈસીની મંજુરી આપી દીધી છે. મતલબ હવે પ્રીપેડ કે પોસ્ટપેડ મોબાઈલ કનેક્શન માટે અનેક પ્રકારના કાગળ, દસ્તાવેજોની જરૂર નહી પડે. પણ વેચાણ કેન્દ્ર (પીઓએસ)પર આધાર કાર્ડ અને ફિંગરપ્રિંટથી જ કામ ચાલી જશે.
સરકારે આ પ્રકારની અરજી પર કામ અને સત્યાપાનની ઓનલાઈન પ્રક્રિયાને ત્વરિત સરળ બનાવવા માટે ઈ-કેવાઈસી નિયમ રજૂ કરાયા છે.
નવી પ્રણાલીમાં સિમ એક્ટિવેશન માટે સત્યાપનના સમયમાં કમી આવશે. ઈ કેવાઈસીમાં ગ્રાહક પોતાની આધાર સંખ્યા ને બાયોમેટ્રિક્સ દ્વારા યૂઆઈડીએઆઈને પોતાની વિગત મોબાઈલ કંપનીને ઉપલબ્ધ કરાવવાનો આધિકાર આપે છે. સીઓએઆઈના મહાનિદેશક રાજન મૈથ્યૂનુ માનવુ છે કે આ પગલુ બધા ભાગીદારો માટે મદદરૂપ રહેશે.