ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 17 ઑગસ્ટ 2016 (14:41 IST)

સરકારે આપી નવા મોબાઈલ કનેક્શન માટે આધાર e-KYCની મંજુરી

સરકારે નવા મોબાઈલ કનેક્શન માટે આધાર ઈ-કેવાઈસીની મંજુરી આપી દીધી છે. મતલબ હવે પ્રીપેડ કે પોસ્ટપેડ મોબાઈલ કનેક્શન માટે અનેક પ્રકારના કાગળ, દસ્તાવેજોની જરૂર નહી પડે. પણ વેચાણ કેન્દ્ર (પીઓએસ)પર આધાર કાર્ડ અને ફિંગરપ્રિંટથી જ કામ ચાલી જશે. 
 
સરકારે આ પ્રકારની અરજી પર કામ અને સત્યાપાનની ઓનલાઈન પ્રક્રિયાને ત્વરિત સરળ બનાવવા માટે ઈ-કેવાઈસી નિયમ રજૂ કરાયા છે. 
 
નવી પ્રણાલીમાં સિમ એક્ટિવેશન માટે સત્યાપનના સમયમાં કમી આવશે.  ઈ કેવાઈસીમાં ગ્રાહક પોતાની આધાર સંખ્યા ને બાયોમેટ્રિક્સ દ્વારા યૂઆઈડીએઆઈને પોતાની વિગત મોબાઈલ કંપનીને ઉપલબ્ધ કરાવવાનો આધિકાર આપે છે. સીઓએઆઈના મહાનિદેશક રાજન મૈથ્યૂનુ માનવુ છે કે આ પગલુ બધા ભાગીદારો માટે મદદરૂપ રહેશે.