શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (14:33 IST)

છાશમાં મધ નાખીને પીવાથી થાય છે આ ફાયદા

benefits of butter milk and honey

આદિવાસીઓના જીવનમાં મધ ન માત્ર આવકનું સ્ત્રોત છે પણ એનાથી સ્વાસ્થય જીવન માટે સુયોગ્ય પણ ગણાય છે.  અનેક પ્રકારના શારીરિક વિકાર માટે મધને ખૂબ ઉપયોગી  ગણાય છે , ચાલો જાણીએ મધના કેટલાક રોચક ગુણ અને એની સાથે  સંકળાયેલા કેટલાક પારંપરિક ઉપાય વિશે. 
1. આદિવાસી બાળકોને સવારે રોટલી સાથે મધ આપે  છે, એમનું માનવું છે કે મધ યાદશક્તિને સારી બનાવવા માટે ઉત્તમ છે. મધને છાશ સાથે લેવાથી પણ યાદશક્તિ સારી થાય છે. 
 
2. મધ શુદ્ધ હોય તો દરરોજ એક એક ટીપુ  બન્ને આંખોમાં નાખવાથી આંખોની સફાઈ થઈ જાય છે. માન્યતા છે કે નેત્ર જ્યોતિ માટે મધ એક સારો  ઉપાય છે. 
 
3. બાળકને જ્યારે દાંત આવે છે તો મસૂઢા  પર સોજા આવી જાય છે અને એમને ખૂબ થાય છે. આવી હાલતમાં મસૂઢા પર મધ લગાવવાથી આરામ મળે છે.
 
4. મધને પાણીમાં મિક્સ કરી શૌચ જતા પહેલા દરરોજ સવારે 3-4 મહીના સુધી લેવાથી વજન ઓછું થવા માંડે છે. ઘણા ક્ષેત્રોમાં જાણકાર માને છે કે બે ચમચી મધ અને અડધુ કાપેલા લીંબૂના રસને હૂંફાળા પાણીમાં મિક્સ કરી દરરોજ સવારે લેવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. 
5. મધ જો દૂધ સાથે મિક્સ કરી લેવાય તો આ દિલ, મગજ અને પેટ માટે ફાયદાકારી હોય છે. ઉનાળામાં હમેશા લાંબૂ પાણી સાથે મિક્સ કરી પીવાથી શરીરને ઉર્જા અને ઠંડક મળે છે. આદિવાસીઓના માનવું છે કે જો મધનું સેવન દરરોજ કરવામાં આવે તો આ શરીરને ચુસ્ત દુરસ્ત રાખવામાં ઘણી મદદ કરે છે. સાથે તાકત બનાવી રાખી થાક દૂર કરે છે. 
 
6. પાતાલકોટમાં આદિવાસી કપાય ગયેલા અંગ, ઘા અને શરીરના દઝાયેલ સ્થાન પર મધને લગાવે છે. આમ તો મધના એંટીબેક્ટેરિયલ ગુણોને આધુનિક વિજ્ઞાન પણ માને છે. 
7. આદિવાસી  મધ સાથે ચૂનો મિકસ કરી માથા પર લગાડે છે જેનાથી માથાના  દુખાવોમાં આરામ મળે છે. માનવું છે કે મધ મગજને ઠંડું રાખે છે અને માથાના દુખાવાને ઓછું કરવામાં કારગર છે.