શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 1 માર્ચ 2017 (13:05 IST)

ફૂડ પાઈજનિંગથી બચવા

ફૂડ પાઈજનિંગથી બચવા

ગરમીમાં  એક મોટી સમસ્યા છે ફૂડ પાઈજિનિંગ. ફૂડ પાઈજિનિંગ ખોરાકમાં બેકટેરિયા આવવાને કારણે  હોય છે. ફૂડ પાઈજિનિંગમાં તાવ,ઉબકા - ઝાડા થવા,ચક્કર આવવા અને શરીરમાં દુખાવા થવો એ  સામાન્ય વાત છે. ઘણી વાતો ધ્યાનમાં રાખી આ સમસ્યાથી બચી શકાય છે. 
 
તાજુ  ભોજન - જે પણ ખાવ તે તાજુ અને ગરમ કરીને ખાવ. 
 
સાફ વાસણ - ધ્યાન રહે કે  જે  વાસણ અને જે જ્ગ્યા પર તમે ભોજન રાખો તે સાફ સુથરી હોવી જોઈએ. 
 
હાથ ધુવો - જમતા પહેલાં હાથ સારી રીતે ધોવા . 
 
બહારના તળેલા- શેકેલા ભોજનથી દૂર- બજારમાં મળતાં ખુલ્લા તળેલા શેકેલી વસ્તુઓ ,પાનીપુરી વગેરેથી આ દિવસોમાં  દૂર રહેવું . 
 
ઉપચાર લીંબું પાણી - ફૂડ પાઈજિનિંગ થતાં એક ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબૂ ,મીઠું , ખાંડ  મિક્સ કરી પીવું . 
 
દહી અને મેથીદાણા  - ઉલટી થઈ રહી હોય તો એક ટેબલ સ્પૂન દહીંમાં એક ચમચી મેથીદાણા મિક્સ કરી લેવાથી લાભ હશે. 
 
ડૉકટરનો  સંપર્ક  - જો દૂષિત ભોજન કરવાથી તમને વારવાર  ઉલટી થાય  ,ઉલટીમાં લોહી આવે ,પેટમાં દુ:ખાવો ,બોલતાં જોતા મુશ્કેલી થાય, નબળાઈ લાગે , એવા લક્ષણ હોય તો તરત જ ડૉકટરનો  સંપર્ક કરવો.