શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 24 ઑક્ટોબર 2020 (16:40 IST)

સ્વાદ જ નહી સ્વાસ્થય માટે પણ લાભકારી છે કોથમીર

કોથમીર ભારતીય રસોઈમાં પ્રયોગ કરાતી એક સુગંધિત લીલી પાંદળી છે જે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. સામાન્યત: આનું ઉપયોગ શાકની સજાવટ અને તાજા મસાલાના રૂપમાં કરાય છે પણ એના સેવન કરવાથી ઘણા લાભ થાય છે. સામાન્ય રીતે કોથમીરના પ્રયોગ વિભિન્ન વ્યંજનોને સજાવા અને સુગંધ વધારવા માટે કરાય છે. પણ સ્વાસ્થયની નજરેથી પણ આ ખૂબ મહત્વપૂર્ણ છે. આવો તમને જણાવીએ કોથમીરના ફાયદા 
 
 
 
ઉનાળામાં લૂથી રાહત
 
કોથમીરને વાટીને એના રસ કાઢી લો પછી આ પાણીમાં ખાંડ મિકસ કરી એના રસ નાખી દો. એને આ રીતે પીવાથી ઉનાળામાં લાગેલી લૂથી રાહત મળે છે. 



ભોજનના સ્વાદ વધારવા માટે 
 
સૂકા ધાણાના તડકા લગાવાથી દાળ, શાક કે ભાજીના સ્વાદ વધી જાય છે. આ માત્ર સુગંધિત મસાલા જ નહી , સારી દવા પણ છે. 

 
માસિક ધર્મમાં ફાયદાકારી 

 
જો માસિક ધર્મમાં વધારે લોહી વધારે જાય તો ધાણા વાટીને એમાં દેશી ખાંડ લો અને ઘી મિક્સ કરી ખાવાથી આરામ મળે છે પણ યાદ રાખો કે ત્રણેયની માત્રા એક જેવી જ હોય એના સિવાય માસિક ધર્મમાં એક મોટા ગિલાસ પાણી લો. એમાં બે ચમચી ધાણા નાખી એને ઉકાળીંને જ્યારે એ ચોથા ભાગ રહી જાય તો શકાર નાખી ગાળીને પે લો આવા કરવાથી માસિક ધર્મમાં રાહત મળશે. 

 
પેટ માટે ફાયદાકારી

 
જો તમે પેટ સંબંધિત રોગોથી પરેશાન છે જેમ કે પેટમાં દુખાવા , પેટમાં એસિડિટીની સમસ્યા થતા ધાણાથી સારી થઈ શકે છે. એક ગિલાસ પાણી લો. બે ચમચી ધાણા મિક્સ કરી ઉકાળો . ગાણી , ત્રણ ભાગ કરો. દિવસમાં ત્રણ વાર પી લો. અડધા ગિલાસ પાણી લો. એમાં બે ચમચી ધાણા નાખી એને ઉકાળીંને હુંફાણા કરીને પી લો. 

ખાંસીથી રાહત 



 
ખાંસી કે , દમા હોય . ધાણા અને શાકર વાટીને રાખી લો. એક ચમચી ચોખાના પાણી સાથે દર્દીને પીવડાવો. આરામ આવવા લાગશે. થોડા દિવસ નિયમિત લો. 
 

 
મૂત્રમાં બળતરા 


 
એક નાની ચમચી ધાણા લો. એને એક કપ બકરીના દૂધમાં મિકસ  કરી મીઠા કરવા માટે શાકર નાખી પીવો આબાથી મૂત્રમાં થતા બળતરા ખત્મ થઈ જશે. 

કિડની માટે લાભકારી 


 
કિડની અમારા લોહીથી મીઠું અને શરીરમાં રહેલા અવાંછિત બેક્રિયાને ફિલ્ટર કરે છે. પણ જ્યારે કિડનીમાં મીઠુંના સંચય થઈ જાય છે તો પછી ઉઅપચારની જરૂરત હોય છે. કોથમીર સારી રીતે સાફ કરી . નાના -નાના ટુકડા કાપીને એના પૉટ રાખી લો. એમાં સાફ પાણી નાખી 10 મિનિટ સુધી ઉકાળો . પછી એન ઠંડા કરી એન છાનીને બોતલમાં નાખી લો . એને ફ્રિજમાં રાખી શકો છો. પછી દરરોજ એક ગિલાસ પાણી પીવો. તમ્ે અનુભવશો કે મૂત્રના રાસ્તે મીઠું અને અશુદ્ધ અવસ્તુઓ બહાર આવી રહી છે. 

શરીરમાં નબળાઈ થતા 
શરીરમાં નબળાઈ લાગતી હોય અને ચકકર આવતા હોય તો બે ચમચી કોથમીરના રસ  દસ ગ્રામ શાકર અને અડધી વાટકી પાણી મિક્સ કરી સવારે સાંજે લેવાથી ફાયદા થાય છે.

 
આંખો માટે 


 
કોથમીરના  નિયમિત પ્રયોગથી આંખોની રોશની વધે છે કારણકે એમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે જે આંખો માટે જરૂરી છે. 

કોલેસ્ટ્રોલ લેવલ ઓછા કરે છે

કોથમીરમાં રહેલા વિટામિન સી કોલેસ્ટ્રોલ લેવલને ઓછા કરવામાં મદદ કરે છે.
 

ત્વચા માટે ફાયદાકારી 

 
ત્વચા પર ડાઘ કે ઝાઈયા થતા કોથમીરને ઉકાળીને તે પાણીથી ચેહરા પર લગાવવાથી લાભ થાય છે. 

 
મોંના ચાંદલા થતાં 
કોથમીરના પાન ચાવાવાથી ચાંદલા ઠીક થઈ જાય છે. 
 

 
હેયર ગ્રોથ માટે 

કોથમીરને વાટીને માથા પર લેપ કરો. થોડા દિવસો સુધી આ ઉપચાર કરવાથી વાળ આવે છે અને આ ઉપાય કરી ચૂકયા છે. માથાના વાળ ખરતા કોથમીરના રસ  લાગવા લાભકારી સિદ્ધ થાય છે.