શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

યોનિમાંથી નીકળતા સફેદ પાણી અને તમારા સ્વાસ્થ્ય વચ્ચે શું છે કનેકશન ?

મોટાભાગની મહિલાઓ જે યુવાવસ્થામાં પહોંચી ગઈ છે એમને  યોનિમાંથી થતા સ્ત્રાવનો અનુભવ થાય  છે અને આ બિલ્કુલ સામાન્ય છે. યોનિમાંથી આવતી દુર્ગંધનુંં  મુખ્ય કારણ યોનિમાંથી થતો સ્ત્રાવ સફેદ કે દૂધિયો તરલ પદાર્થ હોય છે જે યોનિ અને ગર્ભાશયની ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવિત કરાય છે અને એનુંં મુખ્ય કાર્ય બેક્ટીરિયા અને મૃત કોશિકાઓને બહાર કાઢાવાનું છે જેથી યોનિ સ્વસ્થ રહે. વધારે બાબતોમાં યોનિમાંથી થતો  સ્ત્રાવ સંપૂર્ણ  રીતે સામાન્ય હોય છે. પણ એના ઘટ્ટપણાથી, દુર્ગંધ, રંગ વગેરે દ્વારા આપણે જાણી શકીએ છીએ કે ચિંતા કરવાનો સમય આવી ગયો છે. 
પણ યોનિને સ્વસ્થ રાખવા અને યોનિને શુષ્કતાથી બચાવી રાખવા માટે થોડો સ્ત્રાવ જરૂરી હોય છે પણ જો  આ અસામાન્ય લાગે તો તમારે ડોકટરની સલાહ લેવી જોઈએ. તેથી યોનિમાંથી થતાં સ્ત્રાવ વિશે જાણવું ખૂબ જરૂરી છે. આવો જાણીએ.
 

1. ઓવલ્યુશન  - યોનિમાંથી થતા સ્ત્રાવનું મુખ્ય કારણ ઓવલ્યુશન છે. જો તમે જુઓ કે સ્ત્રાવ પાતળો, ચિકણો અને સફેદ છે તો એનો અર્થ છે કે તમારું ડિમ્બ ઉત્સર્જિત થઈ રહ્યું છે. આ સમયે તમારા ગર્ભવતી થવાની શકયતા વધારે હોય છે. 
2. ગર્ભાવસ્થા - યોનિમાંથી થતા સ્ત્રાવનું  એક બીજું કારણ ગર્ભાવસ્થા છે. જો સ્ત્રાવની માત્રા વધારે છે  અને આ પીળા રંગનો છે તો એનો અર્થ છે કે તમને જલ્દી જ પ્રસવ પીડા શરૂ થવાની છે. 

3. લેબર - જો તમે ગર્ભવતી છો અને સ્ત્રાવ બલગમ જેવો છે અને વધારે માત્રામાં થઈ રહ્યો છે તો એનું અર્થ છે કે તમને જલ્દ જ પ્રસવ પીડા શરૂ થવાની છે. 
4. યીસ્ટ સંક્રમણ - યોનિમાંથી થતાં સ્ત્રાવનું  એક કારણ યીસ્ટ ઈંફેકશન હોઈ શકે છે. આ બેકટીરિયાનું  કારણ હોય છે. જેમાં સ્ત્રાવ ઘટ્ટ, સફેદ હોય છે અને એમાં ગંદી દુર્ગંધ પણ હોય છે.