ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 7 માર્ચ 2017 (17:37 IST)

અનિયમિત પીરીયડ્સને ઠીક કરવા, આ ઘરેલૂ ઉપાય

આરોગ્ય- સમય પર માહવારી ન આવવી ઘણી મહિલાઓની સમસ્યા છે. બદલતી લાઈફસ્ટાઈલના કારણે આ પ્રોબ્લેમ સામાન્ય જોવા મળે છે. આ કારણથી મહિલાઓને બહુ પરેશાનીઓનો સામનો કરવું પડે છે. પીરીયડસ રેગુલર ન હોવાથી પરિણીત મહિલાઓમાં ગર્ભધારણની સમસ્યા આવી જાય છે. આ કારણે તે સમય પર મા પણ નહી બની શકતી. પણ કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવીને આ સમસ્યાને દૂર કરી શકાય છે. 
1. આદું- આધું બહુ ગર્મ હોય છે. જે મહિલાઓને માહવારી સમસ્યા હોય છે. તેને આદુંનો વધારે સેવન કરવું જોઈએ. આદુને કદ્દૂકસ કરીને તેને પાણીમાં થોડી ખાંડ નાખી ઉકાળૉ. થોડી વાર પછી તેને ઠંડા થવા માટે મૂકી દો. દરરોજ તેને દવાના રૂપમાં પીવો. તેનાથી પીરિયડસ યોગ્ય સમય પર આવશે. 
 
2. કાચું પપૈયું- પપૈયું ખાવું આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. આ શરીરમાં લોહી બનવામાં મદદ કરે છે. દરરોજ કાચું પપૈયું ખાવા કે તેનું જ્યૂસ પીવાથી માહવારી ઠીક થઈ જાય છે. 
 
3. તલ- સફેદ રલ ખૂબ ગર્મ હોય છે. તેથી જે મહિલાઓને પીરિયડસની પરેશાની છે તેના માટે તલ ખૂબ લાભકારી હોય છે. તલમાં સમાન માત્રામાં ગોળ મિક્સ કરી ખાવાથી પીરીયડસ રેગુલર થઈ જાય છે. 
 
4. હળદર- હળદરના સેવનથી પણ આ સમસ્યાથી છુટ્કારા મેળવી શકાય છે. દૂધમાં હળદર મિક્સ કરી થોડા અઠવાડિયા પીવાથી પીરિયડસથી સંકળાયેલી દરેક સમસ્યા દૂર થઈ જાય છે. 
 
5. તજ- ગર્મ દૂધમાં એક ચમચી તજ મિક્સ કરી પીવાથી ખૂબ ફાયદો હોય છે. 2-3 મહીના સતત આવું કરવાથી માહવારીની સમસ્યા ઠીક થઈ જાય છે.