શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2016 (17:12 IST)

આ તેલથી માલિશ કરો અને મેળવો દરેક પ્રકારના દુ:ખાવાથી મુક્તિ

મોટાભાગના લોકોને શરીરનો દુ:ખાવો રહે છે. જેવો કે માથાનો દુ:ખાવો અને કમરનો દુખાવો. અનેક પ્રકારની દવાઓનુ સેવન કર્યા પછી પણ દુ:ખાવાથી રાહત મળતી નથી.  જો તમને પણ શરીરનો દુ:ખાવો છે તો આજે અમે તમને બતાવીશુ એવો ઉપાય જેનાથી તમારા શરીરનો દુ:ખાવો દૂર થઈ જશે.  આ ઉપાય દરેક પ્રકારના શરીરના દુ:ખાવા માટે લાભકારી છે. તો આવો જાણીએ કયો છે એ ઉપાય. 
 
સામગ્રી - લસણ, 30 ગ્રામ સરસવનુ તેલ, અડધી ચમચી અજમો. 
 
વિધિ - સૌ પહેલા લસણની 4 કળીયોને છોલીને સરસવના તેલમાં નાખો. ત્યારબાદ તેમા અડધી ચમચી અજમાના દાણા નાખીને ધીમા તાપ પર પકવો.  લસણ અને અજમો કાળા પડી જાય ત્યારે તેલ ઉતારીને થોડુ ઠંડુ કરીને ગાળી લો. આ તેલને દુખાવાના સ્થાન પર માલિશ કરો. આ તેલથી માલિશ કરવાથી દરેક પ્રકારનો દુ:ખાવો દૂર થઈ જાય છે.