ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020 (15:23 IST)

દૂધમાં તુલસી નાખી પીવાના છે 7 ફાયદા, જે તમે નહી જાણતા

દૂધ પોષણના હિસાબે અમૃત સમાન છે અને તુલસીને ઔષધિના રૂપમાં પ્રયોગ કરાય છે જે તમારી પ્રતિરોધક ક્ષમતા વધારીને ઘણા રોગોથી તમારી રક્ષ કરે છે. આ બન્નેનો મિશ્રણ કરી લીએ તો પોષણની સાથે સાથે આરોગ્યથી સંકળાયેલા ઘણા લાભ મેળવી શકીએ છે. હવે તમે જ્યારે પણ દૂધ પીવો તેમાં તુલસીના પાન નાખી પીવો અને મેળવો આ 7 ફાયદા 
1. અસ્થમા- અસ્થમાના દર્દીઓ માટે આ ઉપાય ફાયદાકારી છે. ખાસ કરીને મૌસમમાં ફેરફાર થતા પર થતી શ્વાસ સંબંધી સમસ્યાઓથી બચવા માટે દૂધ અને તુલસીનો આ મિશ્રણ ખૂબ લાભકારી હોય છે. 
 
2. માથાના દુખાવા અને માઈગ્રેનની સમસ્યા થતા પર આ ઉપાય તમને રાહત આપશે. જ્યારે પણ માઈગ્રેનના દુખાવો હોય તમે તેને પી શકો છો. દરરોજ તેનો સેવન કરવાથી તમારી સમસ્યા પણ ખત્મ થઈ શકે છે. 
 
3. તનાવ જો તમારા જીવનનો પણ અભિન્ન અંગ બની ગયું છે, તો દૂધમાં તુલસીના પાનને ઉકાળીને પીવો. તમારું તનાવ દૂર થશે અને ધીમે ધીમે તનાવની સમસ્યા સમાપ્ત થઈ જશે. 
4. હૃદયની સમસ્યામાં પણ આ લાભકારી છે. સવારે ખાલી પેટ તેને દૂધને પીવાથી હૃદય સંબંધી તોગોમાં લાભ મળશે. તે સિવાય આ કિડનીમાં થતી પથરી માટે પણ સારું ઉપચાર છે. 
 
5. તુલસીમાં કેંસર કોશિકાઓથી લડવાનો ગુણ હોય છે. તેથી તેનો સેવન તમને કેંસરથી બચાવી શકે છે. તે સિવાય શરદીના કારણે થતી આરોગ્ય સમસ્યાઓમાં પણ આ કારગર ઉપાય સિદ્ધ થશે. 
 

6. ફ્લૂ- જો તમને ફ્લૂ થઈ ગયું હોય તો , આ પેય તમને લાભ આપે છે અને જલ્દી ઠીક થવાની શક્તિ આપે છે. 
7. કિડની સ્ટોન- જો કોઈ માણાને કિડનીમાં સ્ટોન હોવાની શરૂઆત થઈ છે તો એને દૂધ અને તુલસીનું સેવન કરવું જોઈ આથી કિડની સ્ટોન ધીમે-ધીમે દૂર થાય છે.