કેવી રીતે બચશો ઉનાળામાં બીમારીથી
-
તડકામાંથી આવીને તરતજ પાણી ન પીવું જોઈએ. -
ભોજન કરતા સમયે થોડું પાણી પીવું જોઈએ, ભોજન કર્યા પછી તરતજ વધુ પાણી ન
પીવું જોઈએ હંમેશા ભોજન કર્યા પછી એક કલાક સુધી પાણી પીવું ન જોઈએ.
-
દિવસભર જેઓનું કામ બેઠકનું હોય છે તેમણે સવારે-સાંજે ફરવા જવું જોઈએ.-
લીલા શાકભાજીઓનો ઉપયોગ કરવો જોઈએ. વધુમાં વધુ પાણીવાળા ફળ ખાવા જોઈએ -
આ ઋતુમાં દહીં અને છાશ વધુમાં વધુ ખાવુ, આ શરીરને ઠંડક આપે છે. .-
બની શકે તો દિવસમાં બે વાર નહાવુ, નહી તો ઓછામાં ઓછુ ત્રણથી ચાર વાર મોઢુ અવશ્ય ધોવુ.
-
ચિકાશવાળી, તળેલી વસ્તુઓ ઓછી ખાવી જોઈએ.