શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 2 જૂન 2016 (00:35 IST)

ઘરેલુ ઉપચાર - ચક્કર જેવા રોગને દૂર કરવાના ઘરેલુ ઉપાય

ચક્કર આવવાની સ્થિતિમાં આપણી આસપાસ રાખેલી બધી વસ્તુઓ ફરતી દેખાય છે. ચક્કર આવવાના અનેક કારણો થઈ શકે છે.  જેમકે મગજમાં લોહીના પ્રવાહ ઓછા થવાને  કારણે ,બ્લ્ડ પ્રેશર ઓછા થવાને કારણ કે કોઈ રોગના કારણે પણ આપણને  ચક્કર આવવા શરૂ થઈ જાય છે અને  ચક્ક્રર આવવાને કારણે આપણે  માથાનો દુ:ખાવો થવો શરૂ થઈ જાય છે.ચક્કર આવવાની સ્થિતિમાં થોડા ઘરેલુ  ઉપાય અજમાવીને એનાથી છુટકારો મેળવી શકાય છે અને તે પછી પણ ચક્કર આવે તો ડાકટરની સલાહ જરૂર લો. 
 
* ચક્કર આવતા દરરોજ નાળિયેર પાણીનું  સેવન કરવુ લાભદાયી સિદ્ધ થાય છે. 
 
* તુલસીના પાંદડાનો સેવન કે પાણી સાથે તુલસીના પાન ખાવાથી આપણને ઘણા રોગોથી છુટકારો મળે છે અને ચક્કર આવતા તુલસીના પાનમાં ખાંડ અને મધ મિક્સ કરી એને વાટીને આ રસનો સેવન કરવાથી ચક્કર આવતા બંધ થઈ જાય છે. 
 
* ચક્કર આવતા તરત આરામ કરવો જોઈએ કે થોડી વાર આડા પડી જવું જોઈએ આથી આરામ મળે છે. ચક્કર વધારે આવતા ચા-કાફીનો સેવન ઓછુ કરવું જોઈએ. 
 
* લીંબૂ પાણી પીવાથી ચક્કર આવતા બંધ થઈ જાય છે. પાણીમાં લીંબૂનો રસ ,ખાંડ  મિક્સ કરી પીવાથી ચક્કર આવતા બંદ થઈ જાય છે. 
 
* ફળોના જ્યુસનો સેવન કરવાથી પણ લાભદાયક સિદ્ધ થઈ શકે છે.શક્કરટેટીના બીયણને ઘીમાં શેકીને સવાર-સાંજ સેવન કરવાથી પણ ચક્કર આવતા બંધ થઈ જાય છે. 
 
* ચક્કરા આવતા એક ગ�લાસ ઠંડુ પાણી પીવાથી ચક્કર આવતા બંદ થઈ જાય છે. 
 
* આદુંનું  સેવન કરવાથી આપણે ઘણા રોગોથી છુટકારો મેળવી શકીએ છીએ. ,ચક્કર આવતા  ભોજનમાં કે ચાનું  સેવન પણ કરવુ  હોય તો ચામાં આદું નાખી સેવન કરવાથી ચક્કર આવતા બંધ થઈ જાય છે.