શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 16 ફેબ્રુઆરી 2016 (10:01 IST)

ડાયાબિટિસના દર્દીઓ માટે લાભકારી છે આ ડાયેટ

ડાયાબિટિસના દર્દીઓ માટે ખુશખબરી છે તાજેતરમાં થયેલ શોધમાં ડાયાબિટિસના નિયંત્રણમાં મદદગાર એવા ડાયેટનો દાવો કરેલ છે જેની જાણકારી તમને ચોકાવી દેશે.
 
પાસ્તા ઠંડા કરીને ખાવાથી ડાયાબિટિસને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. પાસ્તામાં રહેલ સ્ટાર્ચ શરીરમાં પહોંચતા જ શુગરમાં ફેરવાય જાય છે. પણ ગરમ પાસ્તાને ઠંડા કરીને ખાવાથી એમાં રહેલ સ્ટાર્ચ પ્રતિરોધી તત્વ વધી જાય છે. પાસ્તાને જેટલા વધુ  ઠંડા કરીને ખાશો તે શરીરમાં ગ્લુકોઝનું સ્તર તેટલું જ ઓછું કરશે. 
 
સ્ટાર્ચ ગ્લૂકોઝથી બને છે જે શરીરમાં પહોંચ્યા પછી ગ્લૂકોઝમાં ફેરવાઈ જાય છે અને ઈંસુલીનની માત્રાને પ્રભાવિત કરે છે . આ કારણે ઈંસુલિન પ્રતિક્રિયા નહી આપે અને આગળ જતા ડાયાબિટિસમાં ફેરવાય શકે છે. 
 
પાસ્તા ઠંડા કરીને ખાવાથી તેમાં રહેલ સ્ટાર્ચ પ્રતિરોધી તત્વ એની લોહીમાં ભળી જવાની ગતિને ધીમી કરે છે. જેથી ઈંસુલિન પ્રભાવિત નહી થાય અને શરીરને વધારે   ફાઈબર મળશે. . 
 
આમ ઠંડા પાસ્તાના સેવનથી શરીરને વધારે માત્રામાં ફાઈબર મળે છે જે ડાયાબિટિસના દર્દીઓ માટે લાભકારી છે.