ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 27 એપ્રિલ 2015 (16:14 IST)

ડુંગળી અને દારૂ હળદરથી થાય છે મસૂડા મજબૂત , ઓછું થઈ જાય છે દાંતના દુખાવા

લાઈફસ્ટાઈલ ડેસ્ક - કંદમૂળ કે જડી બૂટીના નામ સાંભળતા  જ જમીનના અંદર વાવતી શાકભાજીના ખ્યાલ આવી જાય છે. પછી એ આદું હોય કે ડુંગળી, લસણ કે સૂરનકંદ. આ છોડમાં ઘણા ઔષધીય ગુણ છે. તો જો તમે સંક્ર્મણ અને બીજા રોગો માટે વાર-વાર દવાઓ લેતા પરેશાન થઈ ગયા છો , તો ઘરે જ થોડા ઘરેલૂ ઉપાય કરી આરામ મેળવી શકો છો. મસૂડોથી થતી મુશ્કેલીઓ , ગૈસની સમસ્યાથી લઈને પુરૂષ સંબંધી પરેશાનીઓના પણ ઉકેલ છુપાયેકા છે કંદ મૂળમાં . એનાથી શરીરને પણ તાકાત મળે છે અને આ હૃદયથી સંકળાયેલા રોગોમાં પણ ફાયદાકારી છે. અમે જંગલી ડુંગળી , દારૂ હળદર વિશે જાણીશ ...
 
ડુંગળી- રસોઈમાં જો ડુંગળી ના હોય તો રસોઈ અધૂરી હોય છે. ડુંગળીના વાંસ્પતિક નામ એલિયમ છે. ડુંગળી એક અત્યંત ગુણકારી છોડ છે. ડુંગળીમાં ગ્લૂટામિન, અર્જીનાઈન સિસ્ટન સેપોનિન અને શર્કરા મળે છે. 
 
મસૂડાની સોજા ઓછી થાય છે.
 
ડુંગળીના રસ અને મીઠાના મિશ્રણ મસૂડાની સોજા અને દાંતના દુખાવાને ઓછા કરે છે. ડુંગળી સફેદ અને લાલ રંગની હોય છે. સફેદ ડુંગળી માટે ગુણકારી હોય છે જયારે લાલ ડુંગળીથી શરીરને શક્તિ મળે છે . 
 
દાદ , ખાજ ખંજવાળમાં આરામ 
 
ડુંગળીના બીયડને સિરકામાં વાટીને લગાવવાથી દાદ , ખાજ અને ખંજવાળમાં ખૂબ જલ્દી આરામ મળે છે. ડુંગળીન રસમાં સરસવના તેલ મિક્સ કરી સાંધા પર માલિશ કરવાથી ગઠિયા રોગ , સાંધાના દુખાવામાં આરામ મળે છે. વૃદ્ધ અને બાળકોને વધારે કફ થઈ જતા , ડુંગળીના રસમં મિશ્રી નાખી ચાટવાથી ફાયદા મળે છે. 
 
માથાના દુખાવામાં આરામ 
 
ઉનાડામાં માથામાં દુખાવા થતા ડુંગળીના સફેદ કંદને તોડે સૂંઘવું જોઈએ અને ચંદન કપૂર ઘસીને કપાલ પર લગાવાથી ખૂબ જલ્દી આરામ મળે છે. 
 
પુરૂષોની પરેશાની દૂર થાય છે.
 
બાળકોના શારીરિક વિકાસ માટે ડુંગળી અને ગોળના સેવનની સલાહ ગુજરાતના ડાંગી આદિવાસી આપે છે. એ આદિવાસીઓનો માનવું છે કે ડુંગળીના સફેદ કંદના રસ , મધ , આદું ના રસ અને ઘીના મિશ્રણ 21 દિવસ સુધી સતત લેવાથી પૌરૂષત્વ મળે છે. 

 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.